ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

નર્મદાની માળીયા કેનાલમાં પાણીચોરી રોકી સીંચાઈનું પાણી આપવામાં ન આવે તો કાલથી આંદોલન


SHARE

















નર્મદાની માળીયા કેનાલમાં પાણીચોરી રોકી સીંચાઈનું પાણી આપવામાં ન આવે તો કાલથી આંદોલન

મોરબી જીલ્લામાં નર્મદાની માળીયા કેનાલ આવે છે જો કે તેમાથી સિચાઈ માટેનું પાણી મળી રહ્યું નથી કેમ કે, ઉપરના ભાગમાં પાણીચોરી કરી લેવામાં આવે છે અને પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો છે ત્યારે માળીયાના ખેડૂતોએ ગઇકાલે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને નર્મદા કેનાલમાં પાણીચોરી રોકીને સિચાઈનું પાણી આપવાની માંગ કરી છે અને જો પાણી નહિ મળે તો તા ૨૮ થી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

મોરબી જિલ્લામાં ચોમાસાની સીઝનમાં વરસાદ ખેંચાતા નર્મદાની કેનલ સિવાય સિચાઈ માટેની બીજી કોઈ વ્યવસ્થા નથી તેવા માળીયા તાલુકામાં ખેડૂતોના ઉભા પાક સુકાઇ રહ્યાં છે. ત્યારે નર્મદા કેનાલમાંથી સિચાઈ માટેનું પાણી આપવામાં આવે તેવી માંગ સાથે અગાઉ રજૂઆતો કરવામાં આવી છે જો કે, પાણી હજુ સુધી મળી રહ્યું નથી ત્યારે ખેડૂતો તેમજ આગેવાનોએ નર્મદાની માળીયા બ્રાન્ચમાં ઢાંકી સુધી તપાસ કરી હતી જેમાં મોટા પ્રમાણમા ધ્રાંગધ્રા તાલુકાના વિસ્તારમાં કેનાલમાંથી પાણીનો બગાડ કરવામાં આવતો હોવાની તેમજ પાણીચોરી કરવામાં આવતી હોવાની માહિતી સામે આવી હતી જેથી આ મુદે યોગ્ય કાર્યવાહી કરીને માળીયાના ખેડૂતોને પાણી પહોચડવા માટે ગઇકાલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું જેમાં નિગમના અધિકારી એસ.આર. પટેલ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે અને નર્મદા કેનાલમાં પાણીચોરી રોકીને સિચાઈનું પાણી આપવાની માંગ કરી છે અને જો પાણી નહિ મળે તો તા ૨૮ થી જુના ઘાંટીલા ગામે ખીજળા હનમાનજી મંદિર પાસે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે




Latest News