મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ
Breaking news
Morbi Today

નર્મદાની માળીયા કેનાલમાં પાણીચોરી રોકી સીંચાઈનું પાણી આપવામાં ન આવે તો કાલથી આંદોલન


SHARE













નર્મદાની માળીયા કેનાલમાં પાણીચોરી રોકી સીંચાઈનું પાણી આપવામાં ન આવે તો કાલથી આંદોલન

મોરબી જીલ્લામાં નર્મદાની માળીયા કેનાલ આવે છે જો કે તેમાથી સિચાઈ માટેનું પાણી મળી રહ્યું નથી કેમ કે, ઉપરના ભાગમાં પાણીચોરી કરી લેવામાં આવે છે અને પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો છે ત્યારે માળીયાના ખેડૂતોએ ગઇકાલે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને નર્મદા કેનાલમાં પાણીચોરી રોકીને સિચાઈનું પાણી આપવાની માંગ કરી છે અને જો પાણી નહિ મળે તો તા ૨૮ થી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

મોરબી જિલ્લામાં ચોમાસાની સીઝનમાં વરસાદ ખેંચાતા નર્મદાની કેનલ સિવાય સિચાઈ માટેની બીજી કોઈ વ્યવસ્થા નથી તેવા માળીયા તાલુકામાં ખેડૂતોના ઉભા પાક સુકાઇ રહ્યાં છે. ત્યારે નર્મદા કેનાલમાંથી સિચાઈ માટેનું પાણી આપવામાં આવે તેવી માંગ સાથે અગાઉ રજૂઆતો કરવામાં આવી છે જો કે, પાણી હજુ સુધી મળી રહ્યું નથી ત્યારે ખેડૂતો તેમજ આગેવાનોએ નર્મદાની માળીયા બ્રાન્ચમાં ઢાંકી સુધી તપાસ કરી હતી જેમાં મોટા પ્રમાણમા ધ્રાંગધ્રા તાલુકાના વિસ્તારમાં કેનાલમાંથી પાણીનો બગાડ કરવામાં આવતો હોવાની તેમજ પાણીચોરી કરવામાં આવતી હોવાની માહિતી સામે આવી હતી જેથી આ મુદે યોગ્ય કાર્યવાહી કરીને માળીયાના ખેડૂતોને પાણી પહોચડવા માટે ગઇકાલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું જેમાં નિગમના અધિકારી એસ.આર. પટેલ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે અને નર્મદા કેનાલમાં પાણીચોરી રોકીને સિચાઈનું પાણી આપવાની માંગ કરી છે અને જો પાણી નહિ મળે તો તા ૨૮ થી જુના ઘાંટીલા ગામે ખીજળા હનમાનજી મંદિર પાસે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે




Latest News