મોરબી સોની સમાજ દ્વારા યોજાયેલ રંગોળી સ્પર્ધાનું પરિણામ જાહેર
મોરબીના પાટીદાર સમાજ દ્વારા યોજાયા વધુ એક ઘડિયા લગ્ન
SHARE
મોરબીના પાટીદાર સમાજ દ્વારા યોજાયા વધુ એક ઘડિયા લગ્ન
મોરબી તાલુકાના નાની વાવડી મુકામે ઘડિયા લગ્ન યોજાયા તેમાં નાની વાવડી ગામના અમૃતભાઈ ઉકાભાઈ પડસુંબિયાના સુપુત્ર ચિ.યસના લગ્નગાળા નિવાસી કાંતિલાલ લાલજીભાઈ ઉઘરેજાની સુપુત્રી ચિ.રીંકલ સાથે યોજાયા હતા આ શુભ પ્રસંગે ઘડિયા લગ્નની પ્રેરણા આપનાર શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના ડો.મનુભાઈ કૈલા, જ્યંતિભાઈ પડસુંબિયા, જ્યંતિભાઈ વિડજા, ગણેશભાઈ પડસુંબિયા, મગનભાઈ આઘારા તથા પાટીદાર સમાજના અગ્રણીઓએ હાજરી આપીને આ નવદંપતિને શુભ આશિષ પાઠવ્યા હતા.
જેપુર ગામે જોગીદાસ ખુમાણ નાટક
મોરબી તાલુકાના જેપુર ગામમાં મંગળવારે રાત્રીના મહાન એતિહાસિક નાટક ભજવાશે સાથે કોમિક પણ રજુ કરવામાં આવશે.શ્રી જેપુર યુવા ઉત્સવ સમિતિ દ્વારા તા.૮ ને મંગળવારે રાત્રે ૯ : ૩૦ કલાકે જેપુર ગામ ખાતે એતિહાસિક નાટક જોગીદાસ ખુમાણ રજુ કરવામાં આવશે સાથે જ હાસ્યના ફુવારા છૂટે તેવું કોમિક નભલો પભલો પણ રજુ કરવામાં આવશે જેનો જાહેર જનતાએ લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.