રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

માળીયા (મી) ના કાજરડા ગામે યુવતીએ ઝેરી દવા પીને ભર્યું અંતિમ પગલું


SHARE









માળીયા (મી) ના કાજરડા ગામે યુવતીએ ઝેરી દવા પીને ભર્યું અંતિમ પગલું

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતી યુવતી કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તાત્કાલિક તેને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આપઘાતના બનાવવાની માળિયા મીયાણા તાલુકો પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતી રેસમાબેન કાદરભાઈ મોવર (૧૯) નામની યુવતી રાખોડિયા વાળા ખેતરે હતી ત્યારે કોઈ કારણોસર કેરી દવા પી લીધી હતી જેથી તેને મોઢામાંથી ફિણ નીકળવા લાગ્યા હતા માટે તેનો ભાઈ હનીફભાઈ કાદરભાઈ મોવર તાત્કાલિક તેમને સારવાર માટે માળિયા મીયાણા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યારે ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈતો તપાસીને મૃત જાહેર કરી હતી અને આપઘાતના આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.

બીમારી સબબ મોત

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા પ્રવીણભાઈ ચતુરભાઈ વોરા (૫૪) ને બીમારી સબબ  સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે, ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર સીટી પોલીસની જાણ કરી હતી વધુમાં પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતકને પેટમાં પાણી ભરાવાની બીમારી હોય તે બીમારી સબબ તેનું મૃત્યુ નીપજ્યું હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.






Latest News