મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી) ના કાજરડા ગામે યુવતીએ ઝેરી દવા પીને ભર્યું અંતિમ પગલું


SHARE











માળીયા (મી) ના કાજરડા ગામે યુવતીએ ઝેરી દવા પીને ભર્યું અંતિમ પગલું

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતી યુવતી કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તાત્કાલિક તેને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આપઘાતના બનાવવાની માળિયા મીયાણા તાલુકો પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતી રેસમાબેન કાદરભાઈ મોવર (૧૯) નામની યુવતી રાખોડિયા વાળા ખેતરે હતી ત્યારે કોઈ કારણોસર કેરી દવા પી લીધી હતી જેથી તેને મોઢામાંથી ફિણ નીકળવા લાગ્યા હતા માટે તેનો ભાઈ હનીફભાઈ કાદરભાઈ મોવર તાત્કાલિક તેમને સારવાર માટે માળિયા મીયાણા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યારે ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈતો તપાસીને મૃત જાહેર કરી હતી અને આપઘાતના આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.

બીમારી સબબ મોત

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા પ્રવીણભાઈ ચતુરભાઈ વોરા (૫૪) ને બીમારી સબબ  સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે, ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર સીટી પોલીસની જાણ કરી હતી વધુમાં પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતકને પેટમાં પાણી ભરાવાની બીમારી હોય તે બીમારી સબબ તેનું મૃત્યુ નીપજ્યું હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.






Latest News