મોરબીના જલારામ મંદિરે મહાપ્રસાદ યોજી રઘુવંશી ક્રાંતિ મંચના મહિલા અગ્રણીએ પિતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
SHARE
મોરબીના જલારામ મંદિરે મહાપ્રસાદ યોજી રઘુવંશી ક્રાંતિ મંચના મહિલા અગ્રણીએ પિતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
મોરબીના સ્વ.નવલચંદભાઈ પ્રાણજીવનભાઈ દક્ષિણીની પૂણ્યતિથી નિમિતે તેમના પરીવારજનો દ્રારા તેમની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજીને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.સ્વ.નવલચંદભાઈ પ્રાણજીવનભાઈ દક્ષીણીની પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્રી એવા રઘુવંશી ક્રાંતિ મંચના મોરબી જીલ્લાના મહિલા અગ્રણી ભાવનાબેન અનિલભાઈ સોમૈયા તથા તેમના ધર્મપત્નિ ધીરજબેન દક્ષિણી દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, સહીતનાઓએ પણ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી