મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

હળવદ ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ અને યુવા દલવાડી સમાજનું પ્રકાશભાઈ વરમોરાને ખુલ્લુ સમર્થન: ગામો ગામ આવકાર


SHARE











હળવદ ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ અને યુવા દલવાડી સમાજનું પ્રકાશભાઈ વરમોરાને ખુલ્લુ સમર્થન: ગામો ગામ આવકાર

ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા વરમોરાને લોકો તરફથી ખૂબ જ આવકાર મળી રહ્યો છે અને ચૂંટણી પ્રવાસ દરમ્યાન ઠેરઠેર આવકાર પણ મળી રહ્યો છે દરમ્યાના દલવાડી સમાજ બાદ યુવા દલવાડી સમાજના આગેવાનો, હોદેદારો અને યુવાનો સાથે મિટિંગ રાખવામા આવી હતી જેમાં આ વિસ્તારમાં આવતા મતદારો તરફથી પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં ભાજપ પક્ષ દ્વારા દલવાડી સમાજને ઘણું બધુ આપવામાં આવ્યું છે

ત્યારે ભાજપનું કમળ આ બેઠક ઉપર ખીલી ઊઠે તેના માટે દલવાડી સમાજના યુવાનોને કામે લાગી જવા માટે હાકલ કરવામાં આવી હતી અને ખાસ કરીને વર્ષોથી દલવાડી સમાજ ભાજપની સાથે રહે છે તેવી જ રીતે દલવાડી સમાજ આ ચુંટણીમાં પણ ભાજપની સાથે જ  રહેશે અને ભાજપના વિજય માટે દલવાડી સમાજ કોઈ કસર રાખશે નહીં તેવો આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ તકે રણછોડભાઈ દલવાડી, જેરામભાઇ સોનાગ્રા, પ્રવીણભાઈ સોનાગ્રા, ગિરીશભાઈ લકુમ અને રમેશભાઈ ભગત સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

ત્યાર બાદ ધ્રાંગધ્રા-હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમા હળવદ વેપારી મહામંડળ અને હળવદ ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલા વેપારીઓ સહિતના આગેવાનો, હોદેદારો સહિતના લોકો હાજર રહ્યા હતા અને સમગ્ર ગુજરાતમાં ભાજપના વિકાસને મતદારો સહિતના લોકો આવકારી રહ્યા છે ત્યારે ધ્રાંગધ્રા-હળવદ બેઠક ઉપરથી કમળ સાથે પ્રકાશભાઈ વરમોરાને ગુજરાત વિધાનસભામાં મોકલવા માટે હળવદના વેપારીઓ દ્વારા કોલ આપવામાં આવેલ છે તો ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાએ પણ ધ્રાંગધ્રા-હળવદ વિસ્તારના વેપારીઓ શાંતિ અને સલામતી સાથે તેના વેપાર ધંધા કરી શકે તેમજ લોકોની સુખકારીમાં વધારો થાય તે માટે કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી

તો તા ૨૪ ના રોજ હળવદ તાલુકાનાં ૧૪ ગામનો ચૂંટણી પ્રવાસ કરવામાં આવ્યો હતો અને તેમાં જૂના કોયબા, નવા કોયબા, હરિપર, સાપકડા, ચિત્રોડી, દીધાડિયા, ભાલગામડા, ગોલાસણ, મેરૂપર, પાંડાતીર્થ,રંભડા, સુંદરી ભવાની, માથક, અને ઘનશ્યામપુરનો સમાવેશ થાય છે આ ગ્રામ્ય વિસ્તાર ગ્રામજનો તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથને વધુ મજબૂત બનાવવા માટે પ્રકાશભાઈ વરમોરાને આ બેઠક ઉપરથી જંગી લીડ સાથે ચૂંટી કાઢવા માટેનો કોલ આપ્યો હતો હાલમાં જે રીતે દરેક જ્ઞાતિ અને સમાજ તરફથી પ્રકાશભાઈ વરમોરાને સમર્થન આપવામાં આવી રહ્યું છે તે જોતાં આગમી દિવસોમાં આ બેઠકની લીડનો નવો રેકોર્ડ બને તો નવાઈ નથ






Latest News