મોરબીમાં ધીમેધીમે કરતાં 142 સિરામિક એકમો નેચરલ ગેસ આધારે ધમધમતા થયા: મે માહિનામાં પણ ગેસનો ભાવ ઊંચો રહે તેવા સંકેત મોરબી મહાપાલિકામાં 3 ફોર્મ ખેંચતા 178 અને જિલ્લા પંચાયતમાં 3 ફોર્મ પાછા ખેંચી લેવાતા 78 ઉમેદવારો મેદાનમાં મોરબીમાં ચૂંટણી ઇફેક્ટ : દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ: ખોટા આધાર, પાન અને ચૂંટણી કાર્ડ તેમજ ખોટું નામ ધારણ કરીને પારકી જમીનનો સોદો કરાવી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા ! મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ટોલ ટેક્સ ભર્યા વગર ગાડી પસાર કરીને સ્ટાફને ફડાકા મારીને ધમકી આપનાર સામે ગુનો નોંધાયો મોરબીના અમરનગર ગામે ઓરડીમાંથી 72 બોટલ દારૂ ઝડપાયો: માળીયાના નવગામ પાસેથી 1200 લિટર આથો ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી : આશારામજી બાપુના ભક્તોએ ભક્તિ જાગૃતિ સંકિર્તન યાત્રા નિકાળી


SHARE













મોરબી : આશારામજી બાપુના ભક્તોએ ભક્તિ જાગૃતિ સંકિર્તન યાત્રા નિકાળી

આદરણીય સંત શ્રી આશારામજી બાપુની પ્રેરણાથી શ્રી યોગ વેદાંત સેવા સમિતિના નેજા હેઠળ ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રસરીને હરિનામ સંકીર્તન યાત્રા ગુરુવાર સવારે મોરબી શહેર ખાતે આવી પહોંચી હતી.

 મોરબી માં સંકીર્તન યાત્રા વણીક ભોજન શાલા, નહેરુ ગેટ,શક માર્કેટ રવાપર રોડ ,શનાળા રોડ થી મુળ જગ્યાએ   પુર્ણાહુતી થઇ આદિપુર  તરફ જવા રવાના થઇ હતી.સમિતિના પ્રવક્તાએ જણાવ્યું કે, આદરણીય સંત શ્રી આશારામજી બાપુની પવિત્ર પ્રેરણાથી સમાજમાં એકતાનો સંદેશો આપવાના હેતુથી સમગ્ર વિશ્વમાં આ હરિનામ કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે સંકીર્તન યાત્રા દરમિયાન સંત શ્રી આશારામજી બાપુના આધ્યાત્મિક જીવન ચરિત્ર આધારિત વિવિધ પ્રકારના બેનરોથી શણગારેલા વાહનો અને ભગવાન નામનું કીર્તન કરતા ભક્તો દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લોકોએ સ્થળે સ્થળે પુષ્પોની વર્ષા કરી હતી, તથા આરતી અને બાપુજીની પૂજા અર્ચન કરી યાત્રાનું સ્વાગત કર્યું હતું.






Latest News