મોરબી : આશારામજી બાપુના ભક્તોએ ભક્તિ જાગૃતિ સંકિર્તન યાત્રા નિકાળી
મોરબીનાં બોરીયા પાટી વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારનો સ્થાનિક લોકોનો નિર્ણય: આવેદનપત્ર આપ્યું
SHARE
મોરબીનાં બોરીયા પાટી વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારનો સ્થાનિક લોકોનો નિર્ણય: આવેદનપત્ર આપ્યું
મોરબીનાં બોરીયા પાટી વાડી વિસ્તારના સારી સુવિધા મળી રહી નથી જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે માટે હાલમાં ત્યાંના લોકોએ ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને બોરીયાપાટી વાડી વિસ્તારના લોકોએ ચૂંટણી અધિકારી અને કલેકટરને આવેદનપત્ર આપ્યું છે
મોરબીનાં બોરીયા પાટી વાડી વિસ્તારના લોકોએ જણાવ્યુ હતું કે, તેના વિસ્તારમાં પાણી, લાઈટ, રોડ-રસ્તા, સફાઈ સહિતની મૂળભૂત સુવિધાઓ સારી રીતે મળી રહી નથી જેથી કરીને સતવારા સમાજની કુલ ૨૧ જેટલીઓ વાડીમાં ૩૫૦૦ લોકોની વસ્તી છે તો પણ લોકોને કેમ સુવિધા આપવામાં આવતી નથી તે સૌથી મોટો સવાલ છે અને બે બુથમાં ૩૫૦૦ જેટલાં મતદારો છે તેને અસુવિધાઓને ધ્યાને રાખીને ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ૨૦ વર્ષથી આ વિસ્તાર પાલીકામાં આવે છે તો પણ સારા રોડ નથી અને વિકાસની વાતો કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક લોકોએ આવેદન પત્ર આપીને ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને સ્થાનિક લોકોના ખેવા મુજબ પેટા ચુટણીનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. ત્યારે પ્રાથમિક સુવિધાઓ આપવાનું કહી ગયા હતા જો કે હજુ સુધી સુવિધાઓ આપવામાં આવી નથી તે હકકીત છે