મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીનાં બોરીયા પાટી વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારનો સ્થાનિક લોકોનો નિર્ણય: આવેદનપત્ર આપ્યું


SHARE













મોરબીનાં બોરીયા પાટી વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારનો સ્થાનિક લોકોનો નિર્ણય: આવેદનપત્ર આપ્યું

મોરબીનાં બોરીયા પાટી વાડી વિસ્તારના સારી સુવિધા મળી રહી નથી જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે માટે હાલમાં ત્યાંના લોકોએ ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને બોરીયાપાટી વાડી વિસ્તારના લોકોએ ચૂંટણી અધિકારી અને કલેકટરને આવેદનપત્ર આપ્યું છે

મોરબીનાં બોરીયા પાટી વાડી વિસ્તારના લોકોએ જણાવ્યુ હતું કે, તેના વિસ્તારમાં પાણી, લાઈટ, રોડ-રસ્તા, સફાઈ સહિતની મૂળભૂત સુવિધાઓ સારી રીતે મળી રહી નથી જેથી કરીને સતવારા સમાજની કુલ ૨૧ જેટલીઓ વાડીમાં ૩૫૦૦ લોકોની વસ્તી છે તો પણ લોકોને કેમ સુવિધા આપવામાં આવતી નથી તે સૌથી મોટો સવાલ છે અને બે બુથમાં ૩૫૦૦ જેટલાં મતદારો છે તેને અસુવિધાઓને ધ્યાને રાખીને ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ૨૦ વર્ષથી આ વિસ્તાર પાલીકામાં આવે છે તો પણ સારા રોડ નથી અને વિકાસની વાતો કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક લોકોએ આવેદન પત્ર આપીને ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને સ્થાનિક લોકોના ખેવા મુજબ પેટા ચુટણીનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. ત્યારે પ્રાથમિક સુવિધાઓ આપવાનું કહી ગયા હતા જો કે હજુ સુધી સુવિધાઓ આપવામાં આવી નથી તે હકકીત છે

 






Latest News