મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીનાં બોરીયા પાટી વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારનો સ્થાનિક લોકોનો નિર્ણય: આવેદનપત્ર આપ્યું


SHARE











મોરબીનાં બોરીયા પાટી વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારનો સ્થાનિક લોકોનો નિર્ણય: આવેદનપત્ર આપ્યું

મોરબીનાં બોરીયા પાટી વાડી વિસ્તારના સારી સુવિધા મળી રહી નથી જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે માટે હાલમાં ત્યાંના લોકોએ ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને બોરીયાપાટી વાડી વિસ્તારના લોકોએ ચૂંટણી અધિકારી અને કલેકટરને આવેદનપત્ર આપ્યું છે

મોરબીનાં બોરીયા પાટી વાડી વિસ્તારના લોકોએ જણાવ્યુ હતું કે, તેના વિસ્તારમાં પાણી, લાઈટ, રોડ-રસ્તા, સફાઈ સહિતની મૂળભૂત સુવિધાઓ સારી રીતે મળી રહી નથી જેથી કરીને સતવારા સમાજની કુલ ૨૧ જેટલીઓ વાડીમાં ૩૫૦૦ લોકોની વસ્તી છે તો પણ લોકોને કેમ સુવિધા આપવામાં આવતી નથી તે સૌથી મોટો સવાલ છે અને બે બુથમાં ૩૫૦૦ જેટલાં મતદારો છે તેને અસુવિધાઓને ધ્યાને રાખીને ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ૨૦ વર્ષથી આ વિસ્તાર પાલીકામાં આવે છે તો પણ સારા રોડ નથી અને વિકાસની વાતો કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક લોકોએ આવેદન પત્ર આપીને ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને સ્થાનિક લોકોના ખેવા મુજબ પેટા ચુટણીનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. ત્યારે પ્રાથમિક સુવિધાઓ આપવાનું કહી ગયા હતા જો કે હજુ સુધી સુવિધાઓ આપવામાં આવી નથી તે હકકીત છે

 






Latest News