મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઉદ્યોગની ઝાંખી કરાવતું સવિશેષ મતદાન મથક ઉભું કરાયું
મોરબી જિલ્લાના દિવ્યાંગ ૩,૯૬૦, ૮૦ વર્ષથી ઉપરના ૧૩,૨૫૦ મતદારોને સંવેદના પૂર્ણ મતદાન કરાવવામાં આવશે
SHARE
મોરબી જિલ્લાના દિવ્યાંગ ૩,૯૬૦, ૮૦ વર્ષથી ઉપરના ૧૩,૨૫૦ મતદારોને સંવેદના પૂર્ણ મતદાન કરાવવામાં આવશે
મોરબી જિલ્લામાં કુલ ૩,૯૬૦ દિવ્યાંગ મતદારો તથા કુલ ૧૩,૨૫૦ મતદારો ૮૦ વર્ષ ઉપરની ઉમરના સિનિયર સિટીઝન્સ છે. આ તમામ મતદારો સરળતાથી અને સુગમ વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે PWD નોડલ અધિકારી વૈશાલીબેન જોશી દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તમામ સુવિધાઓની સાથી આ તમામ મતદારો પાસેથી સંવેદના પૂર્ણ મતદાન કરાવવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી જી.ટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ PWD નોડલ અધિકારીશ્રી દ્વારા માંગણી દર્શાવી હોય તેવા દરેક દિવ્યાંગ મતદારો તથા સિનિયર સિટીઝન્સ માટે દરેક બુથ પર વ્હીલચેર તથા સહાયક પુરા પાડવામાં આવશે. જ્યાં માંગણી કરેલી નથી તેવા બુથ પર પણ અગાઉના વર્ષોમાં સાધન સહાય આપેલ છે તેવા દિવ્યાંગ મતદારોની વ્હીલચેર, આંગણવાડી વર્કર બહેનો દ્વારા મેળવી મતદાન કરાવવામાં આવશે. વિધાનસભાની બઠક મુજબ એક-એક "દિવ્યાંગ સહાયક વાહન", ૧ વ્હીલચેર, ૧ સહાયક કર્મચારી તથા ૧ સ્પેશ્યલ એજ્યુકેટરની સાથે મોબાઈલ વાહન પણ ઉપલબ્ધ રહેશે. વૃદ્ધાશ્રમના સિનિયર સિટીઝન્સને પણ ખાસ સહાયક વાહન દ્વારા મતદાન કરાવવા લઈ જવાશે. ઉપરાંત ૬૫-મોરબી અને ૬૭-વાંકાનેર ખાતેના ‘દિવ્યાંગ કર્મચારી દ્વારા સંચાલિત બુથ’ પર પણ વ્હીલચેર તથા સહાયક પુરા પાડવામાં આવશે.