ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મતદાન પૂરું થયાના બીજા જ દિવસે જુમાવાડી વિસ્તાર પાસે હવામાં ત્રણ ફાયરિંગ !: કોઈ ફરિયાદ નહીં ?


SHARE













મોરબી જીલ્લામાં મતદાન પૂરું થયાના બીજા જ દિવસે જુમાવાડી વિસ્તાર પાસે હવામાં ત્રણ ફાયરિંગ !: કોઈ ફરિયાદ નહીં ?

માળીયા મીયાણામાં નવલખી બંદર પાસે આવેલ જુમાવાડી વિસ્તાર નજીક ગઈકાલે સાંજના સમયે અજાણી કારમાં આવેલા શખ્સ દ્વારા જુદી જુદી ત્રણ જગ્યા ઉપર હવામાં ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ઘટનાએ પહોંચી હતી અને લોકો પાસેથી હકીકત મેળવી હતી તેમ છતાં પણ આ બનાવ સંદર્ભે હજુ સુધી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધવામાં આવેલ નથી અને આ બાબતની મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખને જાણ થતા તેઓ જુમાવાડી વિસ્તારમાં રાત્રે પહોંચ્યા હતા અને આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખીને લોકોમાં ભયનો માહોલ ઉભો કરનારા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે એસપીને રજૂઆત કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું

મોરબી જિલ્લાની ત્રણ સહિત ગુજરાત વિધાનસભાની ૮૯ બેઠકો માટે થઈને હાલમાં ચૂંટણીનું મતદાન પૂર્ણ થયેલ છે અને ચૂંટણીનું મતદાન પૂરા થયાના બીજા જ દિવસે મોરબી જિલ્લામાં આવતા માળિયા મીયાણા તાલુકામાં નવલખી બંદર નજીક જુમાવાડી વિસ્તાર પાસે ફાયરિંગની ઘટના સામે આવી રહી છે જે બનાવવાની જાણવા મળતી માહિતી પ્રમાણે ગઈકાલે સાંજના સાતેક વાગ્યાના અરસામાં અંધારું થયા બાદ અજાણી કારમાં કોઈ શખ્સો આવ્યા હતા અને તેમણે પોતાની કારના હેડલાઇટ સહિતની લાઈટો બંધ રાખી હતી અને ત્યારબાદ જુમાવાડી વિસ્તારની આસપાસમાં હવામાં કુલ મળીને ત્રણ ફાયરિંગ કર્યા હતા અને અલગ અલગ જગ્યા ઉપર આ ફાયરિંગ કરવામાં આવ્યા હતા જે બનાવ સંદર્ભે સ્થાનિક લોકો દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે ગયો હતો પરંતુ આ બાબતની હજુ સુધી માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાઇ નથી

જોકે આ બનાવની મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન કિશોરભાઈ ચીખલીયાને જાણ થતા કિશોરભાઈ ચીખલીયા રાત્રે જુમાવાડી વિસ્તારમાં લોકો પાસે દોડી ગયા હતા અને તેમની પાસેથી ફાયરિંગની ઘટનાની માહિતી તેઓએ મેળવી હતી જોકે આ બાબતની ગંભીરતાને ધ્યાન રાખીને હજુ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે પણ સામે આવ્યો નથી જેથી જુમાવાડી વિસ્તારના લોકોને સાથે રાખીને લોકોમાં ડર ઉભો કરવા માટે ફાયરિંગ કરનારા શખ્સોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે એસપીને રજૂઆત કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે






Latest News