મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ
Breaking news
Morbi Today

માળીયા(મીં)ના મોટા દહીંસરા ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત


SHARE













માળીયા(મીં)ના મોટા દહીંસરા ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત

મોરબીના માળીયા(મિં.) તાલુકાના મોટા દહીંસરા ગામે વાડીએ રહેતી અને ખેતરોમાં મજૂરી કામ કરતી મહિલાએ કોઈ કારણોસર થોડા દિવસો પહેલાં ઝેરી દવા પી લીધીટુ હતુ જેથી કરીને તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર જામનગર ખાતે લઇ ગયા હતા જો કે, જામનગર સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે માટે માળિયા તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના મોટા દહીસરા ગામએ દશરથસિંહ મનહરસિંહ જાડેજાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મોહનભાઈ ભીલના પત્ની જનકબેન ભીલ જાતે આદિવાસી (૫૨) એ કોઈ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી માટે જનકબેનને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે સારવાા દરમિયાન તેનું મોત થયું હતું માટે આ બનાવની માળીયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી મહિલાએ કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે બનાવો હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ત્રાજપર પાસેની મયુર સોસાયટી વિસ્તારમાં રહેતા કેશુભાઈ મગનભાઈ વરાણીયા (૫૩) નામના આધેડ પોતાની રિક્ષા લઈને મેલડી માતાના મંદિર પાસેથી જતા હતા ત્યાં તેઓની રિક્ષાને આઈસર ચાલકે હડફેટે લેતા રિક્ષાચાલક કેશુભાઈને તેમજ પેસેન્જર અવિનાશકુમાર કિશોરભાઈ ભુરીયાને ઇજાઓ થતા તેમને સારવારમાં લઇ જવાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ટોકિઝ પાછળ ધાર ઉપર રહેતો પ્રવીણ દેવકરણ બારૈયા નામનો આડત્રીસ વર્ષનો યુવાન બાઇક લઇને ત્રાજપરના રામજી મંદિર પાસેથી બાઇક લઇને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત પ્રવીણભાઈને સારવારમાં ખસેડાયો હતો.



Latest News