મોરબીના વીસીપરામાંથી દેશી પિસ્તોલ અને કર્ટિસ સાથે ઝડપાયેલ આરોપીના રિમાન્ડ મંજૂર
મોરબીમાં મકરસંક્રાંતિએ જલારામ મંદિરે રાહતદરે ટેસ્ટફુલ ઉંધિયુ-બાસુંદીનુ વિતરણ કરાશે
SHARE
મોરબીમાં મકરસંક્રાંતિએ જલારામ મંદિરે રાહતદરે ટેસ્ટફુલ ઉંધિયુ-બાસુંદીનુ વિતરણ કરાશે
મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા બાસુંદીનુ વિતરણ કરવામાં આવશે અને જલારામ મંદિરના અડદીયા બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવામા આવશે
દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટેકાદેર શુધ્ધ તેલ માંથી બનેલ ઉંધિયા વિતરણનુ આયોજન કરવા મા આવેલ છે. મોરબી જલારામ મંદિરના અડદીયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવા માં આવશે તેમજ ડ્રાઈફ્રુટથી ભરપુર બાસુંદીનુ વિતરણ કરવામાં આવશે. ત્યારે ઉંધિયુ પ્રતિકીલો રૂ. ૧૪૦ ના ભાવે તેમજ બાસુંદી પ્રતિકીલો રૂ. ૨૫૦ ના ભાવે લોકોને આપવામાં આવશે અને ઉંધિયુ તેમજ બાસુંદી વિતરણ તા.૧૪-૧-૨૦૨૩ શનિવાર મકરસંક્રાંતિના રોજ સવારે ૯ કલાકથી શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી કરવામાં આવશે અને ઉંધિયુ તથા બાસુંદી મેળવવા એડવાન્સ બુકિંગ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, સવરાજ ટ્રેડર્સ- લોહાણા મહાજન વાડી, જનતા શોપ સામેનો સંપર્ક કરવા સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી અને નિર્મિત કક્કડે તેની યાદીમા જણાવ્યુ છે.