મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના બે ગુનામાં નાસતો ફરતો આરોપી 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં મકરસંક્રાંતિએ જલારામ મંદિરે રાહતદરે ટેસ્ટફુલ ઉંધિયુ-બાસુંદીનુ વિતરણ કરાશે


SHARE











મોરબીમાં મકરસંક્રાંતિજલારામ મંદિરે રાહતદરે ટેસ્ટફુલ ઉંધિયુ-બાસુંદીનુ વિતરણ રાશે

મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા બાસુંદીનુ વિતરણ કરવામાં આવશે અને જલારામ મંદિરના અડદીયા બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવામા આવશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટેકાદેર શુધ્ધ તેલ માંથી બનેલ ઉંધિયા વિતરણનુ આયોજન કરવા મા આવેલ છે. મોરબી જલારામ મંદિરના અડદીયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવા માં આવશે તેમજ ડ્રાઈફ્રુટથી ભરપુર બાસુંદીનુ વિતરણ કરવામાં આવશે. ત્યારે ઉંધિયુ પ્રતિકીલો રૂ. ૧૪૦ ના ભાવે તેમજ બાસુંદી પ્રતિકીલો રૂ. ૨૫૦ ના ભાવે લોકોને આપવામાં આવશે અને ઉંધિયુ તેમજ બાસુંદી વિતરણ તા.૧૪-૧-૨૦૨૩ શનિવાર મકરસંક્રાંતિના રોજ સવારે ૯ કલાકથી શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી કરવામાં આવશે અને ઉંધિયુ તથા બાસુંદી મેળવવા એડવાન્સ બુકિંગ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, સવરાજ ટ્રેડર્સ- લોહાણા મહાજન વાડી, જનતા શોપ સામેનો સંપર્ક કરવા સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી અને નિર્મિત કક્કડે તેની યાદીમા જણાવ્યુ છે.






Latest News