મોરબીમાં મકરસંક્રાંતિએ જલારામ મંદિરે રાહતદરે ટેસ્ટફુલ ઉંધિયુ-બાસુંદીનુ વિતરણ કરાશે
વાંકાનેરના અમરસર ગામે ભઠ્ઠામાં પેટ્રોલ નાખતા સમયે દાઝી ગયેલ યુવાન સારવારમાં ખસેડાયો
SHARE
વાંકાનેરના અમરસર ગામે ભઠ્ઠામાં પેટ્રોલ નાખતા સમયે દાઝી ગયેલ યુવાન સારવારમાં ખસેડાયો
વાંકાનેર તાલુકાના અમરસર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો યુવાન તેના પરિવારજનો સાથે વાડીએ ભઠ્ઠો કરીને તાપણું કરતો હતો ત્યારે ભઠ્ઠામાં પેટ્રોલ નાખવા જતા જાળ લાગી હતી જેથી કરીને યુવાન ગંભીર રીતે દાજી ગયો હોવાથી તેને વાંકાનેરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામે યુવરાજસિંહ ઝાલાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતો અનિલભાઈ છગનભાઈ ડાવર (ઉંમર ૩૫) વાડીએ હતો ત્યારે તેના પત્ની સહિતના પરિવારજનો સાથે વાડીએ ભઠ્ઠો કરીને તાપણું કરતા હતા ત્યારે ભઠ્ઠામાં પેટ્રોલ નાખતા તેની જાળ લાગી હતી જેથી કરીને અનિલભાઈ ડાવર દાઝી ગયો હતો માટે તેને પ્રથમ સારવારમાં વાંકાનેરની હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા હાલમાં તેઓ સારવાર હેઠળ છે અને રાજકોટ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે
યુવાન કૂવામાં પડી ગયો
મોરબી નજીકના સનાળા ગામે રહેતો નીતિનભાઈ ધનજીભાઈ સોલંકી (૨૭) નામનો યુવાન રાત્રિના સમયે કુવામાં પડી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટે તેને કવાયત હાથ ધરવામાં આવી છે