મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના બે ગુનામાં નાસતો ફરતો આરોપી 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની હરિઓમ સોસાયટીમાં બીમારીથી કંટાળીને પરિણીતાએ કર્યો આપઘાત


SHARE











મોરબીની હરિઓમ સોસાયટીમાં બીમારીથી કંટાળીને પરિણીતાએ કર્યો આપઘાત

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતી મહિલા પોતાના ઘરે હતી ત્યારે ત્યાં તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલને લઈને આવ્યા હતા અને આ બનાવવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી હતી જેમાં મહિલાએ બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ વિરાણીના પત્ની વનિતાબેન (ઉંમર ૩૫) પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરી રહેલ એ.એસ.આઇ. એ.આર.સારદીયા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મહિલાનો લગ્ન ગાળો ૧૧ વર્ષો છે અને તેને ૯ વર્ષનું એક સંતાન પણ છે જો કે, મહિલાને ટીબીની બીમારી હતી જેનાથી કંટાળીને તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળેલ છે






Latest News