વાંકાનેરના અમરસર ગામે ભઠ્ઠામાં પેટ્રોલ નાખતા સમયે દાઝી ગયેલ યુવાન સારવારમાં ખસેડાયો
મોરબીની હરિઓમ સોસાયટીમાં બીમારીથી કંટાળીને પરિણીતાએ કર્યો આપઘાત
SHARE
મોરબીની હરિઓમ સોસાયટીમાં બીમારીથી કંટાળીને પરિણીતાએ કર્યો આપઘાત
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતી મહિલા પોતાના ઘરે હતી ત્યારે ત્યાં તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલને લઈને આવ્યા હતા અને આ બનાવવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી હતી જેમાં મહિલાએ બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ વિરાણીના પત્ની વનિતાબેન (ઉંમર ૩૫) પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરી રહેલ એ.એસ.આઇ. એ.આર.સારદીયા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મહિલાનો લગ્ન ગાળો ૧૧ વર્ષો છે અને તેને ૯ વર્ષનું એક સંતાન પણ છે જો કે, મહિલાને ટીબીની બીમારી હતી જેનાથી કંટાળીને તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળેલ છે









