મોરબીની હરિઓમ સોસાયટીમાં બીમારીથી કંટાળીને પરિણીતાએ કર્યો આપઘાત
અમારી વાડીમાં માઇનોર કેનાલનું પાણી કેમ આવવા દેતા નથી કહીને હળવદના ઢવાણા ગામે પિતા-પુત્રને માર માર્યો
SHARE
અમારી વાડીમાં માઇનોર કેનાલનું પાણી કેમ આવવા દેતા નથી કહીને હળવદના ઢવાણા ગામે પિતા-પુત્રને માર માર્યો
હળવદ તાલુકાના ઢવાણા ગામે અમારી વાડીમાં માઇનોર કેનાલનું પાણી કેમ આવવા દેતા નથી તેવું કહીને આધેડ અને તેના દીકરાને ત્રણ શખ્સો દ્વારા પાઇપ, લાકડી અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા આધેડે સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા કાલિકાકુમાર ઉર્ફે કનકસિંહ જેઠુભા ઝાલા જાતે દરબાર (ઉંમર ૫૨) એ હાલમાં ભુપતભાઈ ડાયાભાઈ રાઠોડ, રણજીતભાઈ ભુપતભાઈ રાઠોડ અને મહિપતભાઈ ભુપતભાઈ રાઠોડની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ તેના ઘરની સામેના ભાગમાં આવીને “કેમ અમારી વાડીમાં માઇનોર કેનાલમાં પાણી આવવા દેતા નથી” તેમ કહીને ગાળો આપી હતી અને ત્યારબાદ ભુપતભાઈ રાઠોડે લોખંડના પાઇપ વડે ફરિયાદી કાલિકાકુમારને કાનના ભાગે માર મારીને ઇજા કરી હતી તથા રણજીતભાઈ અને મહીપતભાઈએ ફરિયાદીના દીકરા દિવ્યરાજસિંહ ઢીકાપાટુ તથા લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા કાલિકાકુમાર ઝાલાએ સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે









