મોરબીના ઉદ્યોગ સાહસિકોની રાજકોટના પ્રોપર્ટી એક્સ્પોમાં સફળતાની ગર્જના
મોરબી જીલ્લામાં ઠેરઠેર દુધરેજધામના મહંત-સંતોને રબારી સમાજનો આવકાર
SHARE
મોરબી જીલ્લામાં ઠેરઠેર દુધરેજધામના મહંત-સંતોને રબારી સમાજનો આવકાર
અખિલ ભારતીય રબારી સમાજની ગુરૂગાદી વડવાળા મંદિર દુધરેજ ધામથી જગ્યાના મહંત પરમ પૂજ્ય નિર્મોહી પિઠાધિશ્વર અનંત વિભુષિત શ્રી શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર કનીરામદાશજી મહારાજ તથા સંતોની મંડળી ગુરુ પરંપરા મુજબ સમગ્ર મચ્છુકાઠા રબારી સમાજમાં ઘરે ધરે આવી રહી છે ત્યારે બાપુ તથા સંતોના પાવન પગલાં ગુરુ પરંપરા અનુસાર જગ્યાના મહંત કાર્યકાળ દરમિયાન સમગ્ર રબારી સમાજમાં એક વખત ઘરે ઘરે અને નેહડે નેહડે પડે તેના માટે પાવન પધરામણી કરવામાં આવી રહી છે ત્યારે ત્યારે સમાજના લોકો પોતાની યથા શક્તિ પ્રમાણે આ જગ્યાના ટકાવ માટે અને ધર્મને ટકાવવા માટે બાપુના ચરણે દાન અર્પણ કરતા હોય છે. ત્યારે મચ્છુકાંઠા રબારી સમાજ ગામો ગામ બાપુ અને સંતોનું ભવ્ય સ્વાગત કરી રહ્યો છે.