ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતો માટે મધૂરમ ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન


SHARE













મોરબી જિલ્લાના ખેડૂતો માટે મધૂરમ ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન

મોરબીમાં આગામી તા. ૨૨/૧ ને રવિવારના રોજ રમણ મહર્ષિ આશ્રમ ગૌશાળા લક્ષ્મીનગર મોરબી ખાતે પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા ઉત્સાહી ખેડૂતો માટે એક દિવસિય શિબિરનું આયોજન કરેલ છે. 

મોરબીમાં મધૂરમ ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતી માટે નિશુલ્ક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતી, ગોપાલન, ઔષધીય વનસ્પતિ જેવા વિષયનું માર્ગદર્શન આપવામાં આવશે ૧૫૦ ગીર ગાયોની સફળ ગૌશાળાની મુલાકાત તથા વર્મીકંમ્પોસ્ટ માટે ડેમોસ્ટ્રેશન રાખેલ છે. તથા સજીવ ખેતી કરતાં સફળ ખેડૂતો પોતાના  અનુભવ જણાવશે. અને દૂધ ગોળના સફળ પ્રયોગના પ્રચારક ગૌપ્રેમી ભરતભાઇ પરસાણા, કિસાન ગૌશાળા રાજકોટના ચંદ્રેશભાઇ ખેડૂતોને ખાસ  માર્ગદર્શન આપશે. સાથે સાથે કિસાન સંઘ પ્રમુખ મોરબી, આત્મા પ્રોજેક્ટ અધિકારી મોરબી, હરડે પ્રચાર કેન્દ્ર મોરબી પણ આ શિબિરમાં ખેડૂતોને જુદા જુદા વિષય પર માર્ગદર્શન પુરુ પાડશે. આ શિબિરનો સમય સવારે ૯.૦૦ થી ૧.૩૦ સુધી રહેશે. અને ખેડૂતો માટે બપોરે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી કરીને આ શિબિરમાં જોડાવા ઇચ્છુક ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અને રજીસ્ટ્રેશન પ્રાણજીવન કાલરિયા (૯૪૨૬૨ ૩૨૪૦૦) જીતુભાઇ ઠક્કર (૯૨૨૮૫ ૮૩૭૪૩) અને ડૉ. મધુસુદન પાઠક (૯૯૯૮૨ ૬૬૧૬૩) ના મોબાઈલ ઉપર સંપર્ક કરીને કરાવવાનું રહેશે.






Latest News