મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં આર્થિક સંકળામણથી કંટાળીને મહિલાએ અજુગતું પગલું ભરી લેતા મોત
SHARE
મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં આર્થિક સંકળામણથી કંટાળીને મહિલાએ અજુગતું પગલું ભરી લેતા મોત
મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતી મહિલાએ આર્થિક સંકળામણ ના કારણે અને પોતાની દીકરીના લગ્નના ટેન્શનમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી સિટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી .
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારીમાં રહેતા મનુભાઈ અદગામાના પત્ની મનીષાબેન અદગામા (૪૦) એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરી રહેલા એએસઆઈ એ.આર. સારદિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મહિલા પોતે મજૂરી કામ કરી શકતી ન હતી અને તેના પતિનું કામકાજ બરોબર ચાલતું ન હતું જેથી કરીને આર્થિક સંકળામણ હતી અને તેની દીકરીના લગ્નનું ટેન્શન હતું દરમિયાન તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું હાલમાં મૃતક મહિલાના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.
ત્રણ બોટલ દારૂ
મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સોના સિરામિક પાસેથી જાહેરમાંથી પસાર થતા બે શખ્સોને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦૫૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી કરણભાઈ કુંવરજીભાઈ વીકાણી જાતે દેવીપુજક (૧૮) રહે. કુબેર સિનેમા પાછળ મોરબી તથા નિર્બળભાઇ જાદવભાઈ વિકાણી જાતે દેવીપુજક (૨૨) રહે. દલડી તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે.