ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા દિવ્ય શાકોત્સવ યોજાયો


SHARE













મોરબીમાં ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા દિવ્ય શાકોત્સવ યોજાયો

મોરબીમાં શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહાન વચન સિદ્ધ સંત સદગુરુ ધ્યાની સ્વામિજીનુ સંત મંડળ ત્યાં આવ્યું હતું અને હરિભકતોને આશિર્વચન પાઠવ્યા હતા અને મહાપ્રસાદનો હરિભક્તોએ લાભ લીધો હતી

મોરબીના આંગણે શનાળા રોડ ઉપર આવેલ શ્રીજી હૉલ ખાતે પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી સદગુરુ ઘ્યાનિ સ્વામિજીના આશીર્વાદથી મોરબીમાં ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા દિવ્ય-ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાકોત્સવની શરૂઆત ખુદ ભગવાન સ્વામિનારાયણ દ્વારા કરવામાં આવી હતી.  અને સૌ પ્રથમ વખત ભગવાને સ્વયમ શાક વઘારીને સૌ કોઈ ભક્તજનોને લાભ આપ્યો હતો. ત્યારથી દર વર્ષે શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે મોરબીમાં યોજાયેલ શાકોત્સવમાં આણંદ રોકડીયા હનુમાન મંદિરના મુખ્ય કોઠારી તેમજ કણભા સ્વામીનારાયણ ગુરકુલના મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામિ સત્સંગ ભૂષણદાસજી સ્વામિજી સંત મંડળ સાથે આવ્યા હતા આ ઉત્સવમાં મોરબીના કલેક્ટર જી.ટી. પંડયા, વરિષ્ઠ પત્રકાર પ્રવીણભાઇ વ્યાસ, સુરેશભાઇ ગોસ્વામી, સંદીપભાઈ વ્યાસ સહિતના પત્રકારો હાજર રહ્યા હતા તેમજ મોરબીના નામાંકીત ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ, ડોક્ટર, બિલ્ડર, વકીલ, ઇજનેરો સહિતના હાજર રહ્યા હતા અને હરિભકતો સહિતના તમામે શાકોત્સવનો લાભ લીધો હતો

મોરબીના સિલ્વર પાર્કમાં ઢોલરા ધામનું પ્રખ્યાત રામા મંડળ રમાશે

મોરબીમાં સાંસ્કૃતિક વિરાસત જાળવવા માટે અને નવી પેઢીને ધાર્મિક આદ્યાત્મિક જ્ઞાન મળી રહે એવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે ત્યારે મોરબીના નવલખી ફાટક પાસે આવેલ સિલ્વર પાર્કમાં તા. ૨૯/૧ ને રવિવાર રાત્રે ૯ વાગ્યે ઢોલરા ધામના પ્રખ્યાત રામદેવરા રામામંડળનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ રામામંડળને નિહાળવા લાવડીયા કિશોરભાઈ લખાભાઈ તરફથી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અને વડીલોને ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવેલ છે






Latest News