વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અકસ્માત સમયે માનવતા મહેકાવતાં સેવાભાવીઓનું કરાયું સન્માન


SHARE













મોરબી જીલ્લામાં અકસ્માત સમયે માનવતા મહેકાવતાં સેવાભાવીઓનું કરાયું સન્માન

મોરબી સુખડીયા સમાજના ટ્રસ્ટી અને સેવાભાવી એવા સંજયભાઈ શેઠ રોડ અકસ્માતમાં ઘવાયેલા દર્દીને તુરંત હોસ્પિટલ પહોંચાડી અને તેનું જીવન બચાવ્યું હતું. જેથી કરીને તેમની આ માનવીય સહાયતા બદલ જીલ્લા કલેકટર અને ઇન્ચાર્જ એસપીના હસ્તે તેનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે અધિકારીઓએ દ્વારા સેવાભાવી સંજયભાઈ મહીપતભાઈ શેઠને સર્ટીફીકેટ આપવામાં આવ્યું હતું અને અન્ય નાગરિકો પણ રોડ અકસ્માતના દર્દીઓને તાકીદે સારવાર મળે તે માટે જરૂરી મદદ કરે તેવી અધિકારીઓએ અપીલ કરી હતી. અત્રે ઉલેખનીય છે કે, અગાઉ પણ મોરબી પુલ હોનારતમાં સંજયભાઈની સેવાકીય કામગીરીની નોંધ લેવામાં આવી હતી અને બચાવ કાર્ય દરમ્યાન ૭ દિવસ સુધી સંજયભાઈ શેઠ તથા તેમના મિત્રો ભાવેશભાઈ મણીયારજયદીપ એન્ડ કંપની વાળા દિલુભા જાડેજા અને રૂચીકભાઈ કારીયાના સહયોગથી નિશુલ્ક નાસ્તો-ચા, પાણી- ભોજનફ્રુટની સેવા આપી હતી તે ઉપરાંત મોરબી નજીકના લાલપર ગામના રહેવાસી અને સેવાકર્મી મયુરભાઈ રતિલાલભાઈ અઘારાનું કલેકટર જી.ટી.પંડ્યા અને ઇન્ચાર્જ એસપી પી. એસ. ગોસ્વામીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ અને સર્ટીફીકેટ અર્પણ કરવામાં આવ્યું હતું આવી જ રીતે માળીયા મીયાણાના સામાજિક કાર્યકર જાનમહમદ હબીબભાઇ જામ ઉર્ફે જીવાભાઈને તેના સેવાકાર્ય માટે કલેક્ટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓ પણ રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અપાવવા માટે ડોક્ટર અને પોલીસ સાથે હંમેશા રહેતા હોય છે






Latest News