વાંકાનેર તાલુકા પંચાયત ખાતે એલ્ડર લાઇનની પ્રથમ વર્ષગાંઠની કેક કાપીને ઉજવણી કરાઇ
મોરબી જીલ્લામાં અકસ્માત સમયે માનવતા મહેકાવતાં સેવાભાવીઓનું કરાયું સન્માન
SHARE
મોરબી જીલ્લામાં અકસ્માત સમયે માનવતા મહેકાવતાં સેવાભાવીઓનું કરાયું સન્માન
મોરબી સુખડીયા સમાજના ટ્રસ્ટી અને સેવાભાવી એવા સંજયભાઈ શેઠ રોડ અકસ્માતમાં ઘવાયેલા દર્દીને તુરંત હોસ્પિટલ પહોંચાડી અને તેનું જીવન બચાવ્યું હતું. જેથી કરીને તેમની આ માનવીય સહાયતા બદલ જીલ્લા કલેકટર અને ઇન્ચાર્જ એસપીના હસ્તે તેનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે અધિકારીઓએ દ્વારા સેવાભાવી સંજયભાઈ મહીપતભાઈ શેઠને સર્ટીફીકેટ આપવામાં આવ્યું હતું અને અન્ય નાગરિકો પણ રોડ અકસ્માતના દર્દીઓને તાકીદે સારવાર મળે તે માટે જરૂરી મદદ કરે તેવી અધિકારીઓએ અપીલ કરી હતી. અત્રે ઉલેખનીય છે કે, અગાઉ પણ મોરબી પુલ હોનારતમાં સંજયભાઈની સેવાકીય કામગીરીની નોંધ લેવામાં આવી હતી અને બચાવ કાર્ય દરમ્યાન ૭ દિવસ સુધી સંજયભાઈ શેઠ તથા તેમના મિત્રો ભાવેશભાઈ મણીયાર, જયદીપ એન્ડ કંપની વાળા દિલુભા જાડેજા અને રૂચીકભાઈ કારીયાના સહયોગથી નિશુલ્ક નાસ્તો-ચા, પાણી- ભોજન, ફ્રુટની સેવા આપી હતી તે ઉપરાંત મોરબી નજીકના લાલપર ગામના રહેવાસી અને સેવાકર્મી મયુરભાઈ રતિલાલભાઈ અઘારાનું કલેકટર જી.ટી.પંડ્યા અને ઇન્ચાર્જ એસપી પી. એસ. ગોસ્વામીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ અને સર્ટીફીકેટ અર્પણ કરવામાં આવ્યું હતું આવી જ રીતે માળીયા મીયાણાના સામાજિક કાર્યકર જાનમહમદ હબીબભાઇ જામ ઉર્ફે જીવાભાઈને તેના સેવાકાર્ય માટે કલેક્ટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓ પણ રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અપાવવા માટે ડોક્ટર અને પોલીસ સાથે હંમેશા રહેતા હોય છે