મોરબી જીલ્લામાં અકસ્માત સમયે માનવતા મહેકાવતાં સેવાભાવીઓનું કરાયું સન્માન
મોરબીના લક્ષ્મીનગર ગામે કાલે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન
SHARE
મોરબીના લક્ષ્મીનગર ગામે કાલે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન
મોરબીના લક્ષ્મીનગર ગામે રવિવારે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ખેડૂતોને પ્રાકૃતિક, ઓર્ગેનિક અને વૈદિક ખેતી તરફ વળવા માંગતા ખેડૂતો માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે જેથી કરીને મોરબીના આંગણે યોજાનાર પ્રાકૃતિક ખેતી શિબિરમાં ખેડૂતોને આવવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે છે
મોરબ્ના મધુરમ ફાઉન્ડેશન દ્વારા તા. ૨૨ ને રવિવારે લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા ઉત્સાહી ખેડૂતો માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે શિબિરનો સમય સવારે ૯ થી બપોરે ૧ સુધીનો રહેશે શિબિરમાં નિષ્ણાત વક્તાઓ દ્વારા પ્રાકૃતિક ખેતી, વર્મીકંમ્પોસ્ટ, ગોપાલન, ઔષધીય વનસ્પતિ જેવા વિષયનું માર્ગદર્શન તથા સફળ ખેડૂતોના અનુભવ જાણવા મળશે. જેથી કરીને રસ ધરાવતા ખેડૂતોએ નામ નોંધાવવાના રહેશે અને વહેલા તે પહેલાનાં ધોરણે ૪૦ ખેડૂતોના જ નામ નોંધવામાં આવશે જેથી ખેડૂતોએ પ્રાણજીવન કાલરિયા (૯૪૨૬૨ ૩૨૪૦૦), જીતુભાઇ ઠક્કર (૯૨૨૮૫ ૮૩૭૪૩) અને મધુસુદન પાઠક (૯૯૯૮૨ ૬૬૧૬૩)નો સંપર્ક કરીને નામ નોંધાવવા આયોજકોએ જણાવ્યુ છે