મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત મોરબી નજીક કારખાનાની કોલોનીમાં ફાંસો ખાઈને યુવાનનો આપઘાત: બીમારી સબબ આધેડનું સારવારમાં મોત મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ
Breaking news
Morbi Today

અમદાવાદથી ધંધાના કામ માટે આવેલ યુવાનનું વાંકાનેરના મહીકા નજીક માર્ગ અકસ્માતમાં મોત


SHARE











અમદાવાદથી ધંધાના કામ માટે આવેલ યુવાનનું વાંકાનેરના મહીકા નજીક માર્ગ અકસ્માતમાં મોત

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી બાઈક લઈને મહીકા ગામની સિમ પાસેથી પસાર થઈ રહેલા યુવાનના બાઈકને અજાણ્યા વાહન ચાલકે હડફેટ લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઇક ચાલક યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના પિતાની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ લઈને અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે અમદાવાદના અમરાઈવાડી વિસ્તાર પાસે આવેલ ઇન્દિરાનગરમાં રહેતા પ્રેમજીભાઈ પુંજાભાઈ કંટારીયા (૬૪) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેનો દીકરો હિરેનભાઈ પ્રેમજીભાઈ કંટારીયા (૩૦) પોતાનું બાઈક નં. જીજે ૨૭ ડીવાય ૪૨૨૨ લઈને પોતાના ધંધાના કામ માટે થઈને વાંકાનેર બાઉન્ડ્રીથી મહીકા ગામની સીમ તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી હિરેનને મોઢા અને છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ અહીંથી અકસ્માત મૃત્યુના બનાવની મૃતકના પિતાને જાણ કરવામાં આવી હતી જેના આધારે તેઓ પોતાના બીજા દીકરા અને જમાઈની સાથે તાત્કાલિક વાંકાનેર આવ્યા હતા અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પિતા દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News