ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા યોજાતા ઈનોવેશન ફેરમાં આગામી વર્ષે શિક્ષકો ભાગ ન લે તેવો ગણગણાટ !


SHARE













મોરબીમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા યોજાતા ઈનોવેશન ફેરમાં આગામી વર્ષે શિક્ષકો ભાગ ન લે તેવો ગણગણાટ !

 મોરબીમાં દર વર્ષે શિક્ષકો દ્વારા થતા ઈનોવેશનમાં જિલ્લા તમામ તાલુકામાંથી શિક્ષકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ શિક્ષકો દ્વારા જુદીજુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં પ્રથમ પાંચ કૃતિમાં મોરબી જિલ્લાના એક જ તાલુકાની કૃતિ પસંદગી કરવામાં આવી છે જેથી તે શિક્ષકો હવે રાજયકક્ષાએ ઈનોવેશન ફેરમાં ભાગ લેવા માટે જશે જેથી કરીને અન્ય તાલુકાનાં શિક્ષકોમાં એવો ગણગણાટ થઈ રહ્યો છે કે, ઈનોવેશન ફેરમાં લાગવગશાહી ચાલી રહી છે અને આ નિર્ણયથી ઈનોવેટિવ ટીચર્સમાં રોષની લાગણી છે

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન- રાજકોટ દ્વારા દર વર્ષે ઈનોવેશન ફેરનું આયોજન કરવામાં આવે છે જેમાં શિક્ષકો દ્વારા શિક્ષણકાર્યમાં કરે નવાચારનૂતન પદ્ધતિ અને પ્રયુક્તિઓને સતત બે દિવસ સુધી  પ્રદર્શિત કરવામાં આવે છેજિલ્લાની દરેક શાળામાંથી એક એક શિક્ષકો આ ઈનોવેશન ફેર નિહાળવા આવે છે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના લેકચરર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ કૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવે છેઅને જિલ્લાની તમામ શાળામાંથી આવેલ શિક્ષકો દ્વારા પણ મૂલ્યાંકન સીટ ભરવામાં આવે છે પણ જે તે તાલુકાના ઈનોવેટિવ શિક્ષકોની કૃતિનું મૂલ્યાંકન અન્ય તાલુકાના શિક્ષકો દ્વારા કરવામાં આવે છે.

આ વર્ષે યોજાયેલ ટંકારા આર્યમ વિદ્યાલય ખાતે યોજાયેલા ઈનોવેશન ફેરમાં  મોરબી તાલુકામાંથી ૧૫ કૃતિમાળીયામાંથી ૫હળવદમાંથી ૧૧ટંકારામાંથી ૧૩વાંકાનેરમાંથી ૭ કૃતિ આમ કુલ ૫૧ જેટલી ઈનોવેટિવ કૃતિ રજૂ થઈ હતી જે પૈકી પાંચ કૃતિ રાજયકક્ષાના ઈનોવેશન ફેરમાં મોકલવાની હોય છે અને ઈનોવેટિવ ટીચર્સ દ્વારા અમને મળતી માહિતી મુજબ તમામ પાંચેય કૃતિઓ ટંકારા એક જ તાલુકાની પસંદ થયેલ છે અને પસંદ થયેલ કૃતિઓ કરતા બીજી ઘણી બધી સારી કૃતિઓ હોવા છતાં ટંકારા એક જ તાલુકાની કૃતિ પસંદ થયેલ હોય મૂક્યાંકનકારો દ્વારા લાગવગ કરી એમના મળતીયાઓની જ કૃતિ પસંદ કરેલ છે અને શિક્ષકો દ્વારા કરેલ મૂલ્યાંકન ધ્યાનમાં લીધા વગર જ મનફાવે તેમ કૃતિની પસંદગી કરેલ છે.

ગયા વર્ષે પણ પાંચ કૃતિ પૈકી ત્રણ કૃતિ ટંકારા તાલુકાની પસંદ કરવામાં આવેલ હતી આમ ઈનોવેશન ફેરમાં દર વર્ષે મોરબી જિલ્લાના અન્ય ચાર તાલુકાના શિક્ષકોને ભારોભાર અન્યાય કરવામાં આવે છે રાજ્ય અને જિલ્લા લેવલે એક જ તાલુકાના શિક્ષકો સારૂ કાર્ય કરે છે અન્ય તાલુકાના નથી કરતા એવું ચિત્ર ઉભું થાય છે જેથી કરીને દિલથી કામ કરતા અને ઘણા દિવસની મહેનત પછી ઈનોવેશન તૈયાર કર્યું હોય અને સાચું મૂલ્યાંકન ન થતું હોય ઈનોવેટિવ ટીચર્સમાં રોષની લાગણી ફેલાયેલ છે અને યોગ્ય તપાસ કરીને ન્યાય નહિ આપવામાં આવે તો આવતા વર્ષે ઈનોવેશન ફેરમાં ભાગ ન લેવાનું પણ ઘણા શિક્ષકો વિચારી રહ્યા છે.






Latest News