મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના સદસ્યએ સરકારની નોટીસને મજાક બનાવી નાખી: મહેશભાઈ રાજ્યગુરુ


SHARE







મોરબી પાલિકાના સદસ્યએ સરકારની નોટીસને મજાક બનાવી નાખી: મહેશભાઈ રાજ્યગુરુ

મોરબી નગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલ સદસ્યએ સરકારની પાલિકા વિસર્જન કરવાની નોટિસને મજાક બનાવી નાખી છે અને ઝૂલતા પૂલની ગોઝારી ઘટનામાં ભોગ બનેલ પરિવારને અન્યાય કર્યો છે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યુ છે

મોરબી શહેરની ઝૂલતા પૂલની ગોઝારી ઘટનામાં જવાબદાર પાલિકાના પદાધિકારી અને અઘિકારીની બેજવાબદારી સામે આવી રહી છે અને આ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મુત્યુ થયા છે ત્યારે આ બાબતે સરકારે કોઇ પગલાના લેતા હાઇકોર્ટએ આ ઘટનાની નોંધ લઈને સુઓમોટો દાખલ કરી છે અને પાલિકાને સરકારે નોટિસ આપી છે ત્યારે ભાજપના મોરબીના ધારાસભ્ય બઘા સભ્યોને સાથે રાખીને તેના સદસ્યના સદસ્ય પદ સાચવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને ભોગ બનનાર પરિવારની મસ્કરી કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે નગરપાલિકામાં મળેલ જનરલ બોર્ડમાં વિચિત્ર ઠરાવ કરેલ છે કે અમારી પાસેથી કાગળો તપાસ એજન્સી લઈ ગયેલ છે તેવી ખોટી વાતો કરી ઠરાવ ના કરી ગુજરાત સરકારની નોટિસના લીરેલીરા ઉડવેલ છે ત્યારે ભાજપના ધારાસભ્ય અને સંગઠન પ્રમુખ આ બાબત સુ પગલાં ભરશે તેવો સવાલ મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુએ ઉઠાવ્યો છે અને મોરબી નગરપાલિકાને વિસર્જન કરવા માટે સરકારની નોટિસનો ઉલલિયો કરી ભાજપના પાલિકાના નગરસેવકો ઝૂલતા પૂલની ઘટનામાં ભોગ બનનાર પરિવારને ન્યાય અપાવવા માટે શું પોતાની જવાબદારી સ્વીકારી જવાબદાર પદાધિકારી કે અઘિકારી કે કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ કરી પાલિકા જવાબદારી સ્વીકાર સે કે ખાલી પોતાની સત્તા બચાવવા હવાતિયાં મારશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News