મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની સરસ્વતી શિશુમંદિર શાળા ખાતે ભારત માતા મંદિરનો તૃતીય પાટોત્સવ યોજાયો


SHARE











મોરબીની સરસ્વતી શિશુમંદિર શાળા ખાતે ભારત માતા મંદિરનો તૃતીય પાટોત્સવ યોજાયો

મોરબીના શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી શિશુમંદિર શાળા ખાતે ભારત માતા મંદિરનો તૃતીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને બે દિવસ સુધી જુદા જુદા કાર્યક્ર્મ યોજાયા હતા જેમાં તા ૨૮ ના રોજ યુવતીઓનું સંમેલન રાખવામા આવ્યું હતું જેમાં "દીકરીઓ સાવધાન" વિષય ઉપર કનુભાઈ કરકર દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કંચનબેન ભૂત દ્વારા પોતાના સંતાનની સંભાળ કેવી રીતે રાખવી અને માતાની ફરજ કેવી રીતે બજાવવી તેની માહિતી આપવામાં આવી હતી આ તકે રંજનબેન મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ રાત્રે સમાજ શ્રેષ્ઠિઓનું સંમેલન મળ્યું હતું જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ  દેથરીયા તેમજ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા અને કનુભાઈ કરકર દ્વારા "સફળ જીવનનો આધાર શ્રેષ્ઠ ચિંતન" વિષયની માહિતી આપવામાં આવી હતી અને તા ૨૯ ના રોજ તૃતીય પાટોત્સવ નિમિત્તે યજ્ઞ શાળામાં યજ્ઞ તથા બાવન શક્તિપીઠની પૂજા કરવામાં આવ્યું હતું ત્યાર બાદ "વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ" એ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શિશુવાટીકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કનુભાઈ કરકર, કર્તવ્ય જીવદયા કેન્દ્રના પ્રમુખ વિશ્વભાઈ કોરીંગા તેમજ યુવા આર્મી ગ્રુપના પ્રમુખ પિયુષભાઈ બોપલિયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું






Latest News