મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના પીઆઇ વિરુદ્ધ ગૃહમંત્રીને કરાઇ લેખિત રજૂઆત


SHARE













વાંકાનેરના પીઆઇ વિરુદ્ધ ગૃહમંત્રીને કરાઇ લેખિત રજૂઆત

વાંકાનેર તાલુકાનાં મહિકા ગામે રહેતાં ઇલ્લુદીન હબીબભાઇ બાદીએ હાલમાં વાંકાનેરના પીઆઇ વિરુદ્ધ રાજ્યના ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે અને તે અધિકારી વ્યાજખોરોને છાવરતા હોવાના ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે અને તેની સામે પગલા લેવાની માગણી કરી છે.

હાલમાં જે અરજી ઇલ્લુદીન બાદીએ કરી છે તેમાં જણાવ્યુ છે કે, લોકડાઉન દરમિયાન ધંધામાં ખોટ જતાં દેવું ભરપાઇ કરવા માટે તેને અમદાવાદમાં રહેતાં પ્રહલાદસિંહ બહાદૂરસિંહ ચુડાસમા અને તલાટી કમ મંત્રી એઝાજ કાદરી પાસેથી ખેતીની જમીન ઉપર ૩૦ લાખ રૂપિયા પાંચ ટકાના વ્યાજે લીધા હતાં. અને ૧૮ માસ સુધી નિયમીત વ્યાજ આપ્યું હતું. અને બાદમાં વ્યાજ નહી ચુક્વી શક્તા તેની જમીન લખાવી લેવામાં આવી હતી જેની મોરબીના એસપીને અરજી કરી હતી અને બાદમાં વાંકાનેરના પીઆઇ કે.એમ. છાસિયાને રૂબરૂ મળીને અરજી આપી હતી જો કે, ત્યારે એફઆઇઆર દાખલ કરવામાં આવી ન હતી અને પીઆઇએ અપશબ્દો કહ્યા હતા જેથી પહેલા એસપી અને બાદમાં રાજકોટ રેન્જના આઇજીને મળીને ફરિયાદ લેવા માટે રજૂઆત કરી હતી જેથી કરીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે જો કે, વાંકાનેરના સિટી પીઆઇ દ્વારા ફરિયાદીને બેફામ ગાળો આપવામાં આવી હતી અને મારૂં કોઇ કાંઇ બગાડી નહી શકે તેમ કહેવામાં આવ્યું હતું જેથી કરીને પીઆઇ સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે






Latest News