મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામ નજીક ગેસ લીકેજના લીધે દાઝી જતા પતિ-પત્ની અને પુત્ર સારવારમાં


SHARE











મોરબીના નીચી માંડલ ગામ નજીક ગેસ લીકેજના લીધે દાઝી જતા પતિ-પત્ની અને પુત્ર સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે સીરામીક યુનિટના લેબર ક્વાર્ટરમાં ગેસ લીકેજના લીધે આગ લાગવાનો બનાવ બન્યો હતો અને તેના લીધે પતિ-પત્ની અને તેમનો ત્રણ વર્ષનો દીકરો દાજી ગયો હોય સારવારમાં ખસેડાયા હતા.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ નજીકના ફેનિસ્ટો સિરામિકમાં લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા વિજયભાઈ જગાભાઈ પારઘી (૨૮) તેમના પત્ની લક્ષ્મીબેન વિજયભાઈ (૨૩) અને પુત્ર ધાર્મિક વિજયભાઈ પારઘી (ઉમર ૩) દાઝી જતા ત્રણેયને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી અને ખુલ્યુ હતું કે ક્વાર્ટરમાં ગેસ લીકેજના લીધે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં ત્રણેય દાઝી ગયા હોય સારવાર માટે ખસેડાયા હતા.

ભાઈએ કરેલ પ્રેમ લગ્નના મુદ્દે બહેનને માર મારનાર બે મહીલાઓની ધરપકડ

મોરબી તાલુકાના પંચાસર ગામે યુવતીને બે મહિલાઓએ માર માર્યો હતો જે બનાવમાં ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં ભોગ બનેલ મનીષાબેન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવવામાં આવ્યું હતું કે તેમના ભાઈ કિશોરએ પ્રેમ લગ્ન કર્યા હોય અને તે વાતનો રોષ રાખીને તેઓ જ્યારે શેરીમાંથી નીકળ્યા ત્યારે કાંતાબેન દિનેશભાઈ માધાભાઈ મકવાણા (૪૫) રહે. પંચાસર તાલુકો જીલ્લો મોરબી અને દક્ષાબેન કરણભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ (૨૩) રહે. દુધઈ જોડીયા જામનગરએ તેઓને ઢીકાપાટુનો માર માર્યો હતો જે અંગે ફરિયાદ નોંધાવેલ હોય તપાસ કરી રહેલા અજીતસિંહ પરમાર દ્વારા ઉપરોક્ત મારામારીના બનાવમાં મનીષાબેન ઉપર હુમલો કરનાર કાંતાબેન મકવાણા અને દક્ષાબેન ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી.






Latest News