હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામ નજીક ગેસ લીકેજના લીધે દાઝી જતા પતિ-પત્ની અને પુત્ર સારવારમાં


SHARE







મોરબીના નીચી માંડલ ગામ નજીક ગેસ લીકેજના લીધે દાઝી જતા પતિ-પત્ની અને પુત્ર સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે સીરામીક યુનિટના લેબર ક્વાર્ટરમાં ગેસ લીકેજના લીધે આગ લાગવાનો બનાવ બન્યો હતો અને તેના લીધે પતિ-પત્ની અને તેમનો ત્રણ વર્ષનો દીકરો દાજી ગયો હોય સારવારમાં ખસેડાયા હતા.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ નજીકના ફેનિસ્ટો સિરામિકમાં લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા વિજયભાઈ જગાભાઈ પારઘી (૨૮) તેમના પત્ની લક્ષ્મીબેન વિજયભાઈ (૨૩) અને પુત્ર ધાર્મિક વિજયભાઈ પારઘી (ઉમર ૩) દાઝી જતા ત્રણેયને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી અને ખુલ્યુ હતું કે ક્વાર્ટરમાં ગેસ લીકેજના લીધે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં ત્રણેય દાઝી ગયા હોય સારવાર માટે ખસેડાયા હતા.

ભાઈએ કરેલ પ્રેમ લગ્નના મુદ્દે બહેનને માર મારનાર બે મહીલાઓની ધરપકડ

મોરબી તાલુકાના પંચાસર ગામે યુવતીને બે મહિલાઓએ માર માર્યો હતો જે બનાવમાં ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં ભોગ બનેલ મનીષાબેન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવવામાં આવ્યું હતું કે તેમના ભાઈ કિશોરએ પ્રેમ લગ્ન કર્યા હોય અને તે વાતનો રોષ રાખીને તેઓ જ્યારે શેરીમાંથી નીકળ્યા ત્યારે કાંતાબેન દિનેશભાઈ માધાભાઈ મકવાણા (૪૫) રહે. પંચાસર તાલુકો જીલ્લો મોરબી અને દક્ષાબેન કરણભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ (૨૩) રહે. દુધઈ જોડીયા જામનગરએ તેઓને ઢીકાપાટુનો માર માર્યો હતો જે અંગે ફરિયાદ નોંધાવેલ હોય તપાસ કરી રહેલા અજીતસિંહ પરમાર દ્વારા ઉપરોક્ત મારામારીના બનાવમાં મનીષાબેન ઉપર હુમલો કરનાર કાંતાબેન મકવાણા અને દક્ષાબેન ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી.






Latest News