મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર
Breaking news
Morbi Today

રાજ્યમાં વ્યાજબી ભાવનાં પરવાનેદારોએ પડતર પ્રશ્નોને ઉકેલવા બનાવ્યું ત્રીજા સંગઠ્ઠન


SHARE











રાજ્યમાં વ્યાજબી ભાવનાં પરવાનેદારોએ પડતર પ્રશ્નોને ઉકેલવા બનાવ્યું ત્રીજા સંગઠ્ઠન

રાજ્યમાં વ્યાજબી ભાવનાં પરવાનેદારોએ ત્રીજા સંગઠ્ઠનનું રણશીંગું ફૂક્યું છે અને વર્તમાન સંગઠ્ઠનો નોંધપાત્ર પરીણામ નહીં મેળવી શક્તા આ નિર્ણય લેવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રાજ્યના વ્યાજબી ભાવના પરવાનેદારોની બેઠક યોજાયેલ હતી અને તેમાં રાજ્યભરમાંથી જીલ્લા અને તાલુકાનાં અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા જેમાં મોરબી જિલ્લાના જુદાજુદા તાલુકામાંથી પણ ઘણા પરવાનેદારો જોડાયા હતા અને પરવાનેદારોનાં વિવિધ પ્રશ્ર્નો અંગે ચર્ચા વિચારણાઓ થયેલ હતી ત્યારે ખાસ કરીને પોષણક્ષમ કમીશન, કોરોના મૃતકના પરિવારને આર્થિક સહાય, ડબલ ફિંગર પ્રિન્ટ, સર્વર ડાઉન, ઘટ મજરે લેવા, પરવાનેદારોની વારસાઇની પેન્ડીંગ ફાઇલ સહિતના વિવિધ પ્રશ્ર્નો અંગે વર્તમાન સંગઠ્ઠનો કોઇ નોંધપાત્ર પરિણામ મેળવી શક્યા નથી તેનો  વિરોધ વ્યક્ત થયેલો હતો અને નવા સંગઠ્ઠનની રચના કરી તેઓનાં વિવિધ પ્રશ્ર્ને સરકારમાં નવું સંગઠ્ઠન રજૂઆત સાથે કાર્યરત થશે તેવો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલ છે અને રાજ્યમાં વ્યાજબી ભાવનાં પરવાનેદારોએ સર્વાનુમતે ત્રીજા સંગઠ્ઠન બનાવ્યું છે અને તેમાં પરવાનેદાર આગેવાનોએ શંખનાદ સાથે વફાદારી અને સંપૂર્ણ નિષ્ઠા પૂર્વક સાથે રહેવાના શપથ લીધા હતા






Latest News