માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે કારખાનામાં માટીના હોપરમાં પડી જવાથી બાળકનું મોત: કારખાનેદારો સામે ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરના ઢુવા પાસે કારખાનામાં માટીના હોપરમાં પડી જવાથી બાળકનું મોત: કારખાનેદારો સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ સિગ્નેચર કારખાનામાં માટી ખાતામાં માટી ભરેલ હોપરમાં પડી જતા માટીમાં દટાઈ જવાથી સાત વર્ષના બાળકનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કારખાનાના માલિક સામે મૃતક બાળકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ગુંગણ ગામે રહેતા અને હાલમાં વાંકાનેર તાલુકાની હદમાં ઢુવા ગામ પાસે આવેલ સિગ્નેચર સીરામીક નામના કારખાનામાં કામ કરતા અને લેબર કોલોનીમાં રહેતા સુનિલભાઈ ખીમજીભાઈ ગોહેલ (૩૪) એ હાલમાં સિગ્નેચર કારખાનાના માલિકો સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા ૧૯/૨ ના રોજ બપોરના ચારેક વાગ્યાના અરસામાં ફરિયાદીનો દીકરો કિસન સુનિલભાઈ ગોહેલ (૭) સિગ્નેચર કારખાનામાં રમતા રમતા માટી ખાતાના માટી ભરેલા હોપરમાં પડી જતા માટીમાં દટાઈ જવાથી તેનું મોત નીપજયું હતું જેથી મૃતક બાળકના પિતાએ કારખાનાના માલિકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૦૪ (અ) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News