મોરબીના ઝુલતા પુલ કેસમાં આરોપી જયસુખભાઇ પટેલનું પુરવણી ચાર્જસીટ કોર્ટમાં મુકાયું
વાંકાનેરના યુવાને ચોટીલાના ગેસ્ટ હાઉસમાં અંતિમ પગલું ભરી લેતા મોત
SHARE
વાંકાનેરના યુવાને ચોટીલાના ગેસ્ટ હાઉસમાં અંતિમ પગલું ભરી લેતા મોત
ચોટીલા યાત્રાધામમાં હાઇવે ઉપરનાં એક ગેસ્ટ હાઉસમાં વાકાનેરનાં યુવાને ગળેફાંસો ખાઇ આત્મઘાત કરી લીધાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ વાકાનેરનાં નવા પરામાં રહેતો 24 વર્ષનો યુવાન કાનજીભાઈ પ્રેમજીભાઇએ બુધવારના ચોટીલા હાઇવે ઉપર આવેલ આકાશ પેલેસ ગેસ્ટ હાઉસનાં રૂમમાં ઉતર્યા હતા જે ગુરૂવારનાં બપોર સુધી રૂમ બહાર ન નિકળતા સંચાલકને અજુગતું લાગતા પોલીસને જાણ કરતા પોલીસે બીજી ચાવી વળે રૂમ ખોલતા યુવાન પંખા સાથે લટકતી હાલતમાં મૃત્યું પામેલ હાલતમાં મળી આવતા લાશને ઉતારી પીએમ માટે ખસેડવામાં આવેલ હતી.
મરણ જનારના પરિવારજનોએ આત્મહત્યા અંગે કોઇ જ કારણ ન હોવાનું જણાવ્યું છે પોલીસે પ્રાથમિક તપાસમાં યુવાન સામાન્ય પગારમાં મોબાઇલ શોપમાં નોકરી કરતો પરંતું મોંઘા મોબાઇલ ફોન સહિતની વૈભવી લાઇફ સ્ટાઇલ હોવાનું જણાવ્યું છે. તેમજ આત્મહત્યા અંગે એડી દાખલ ગેસ્ટ હાઉસ તેમજ પરિવારજનો ને આત્મહત્યા અંગે કરી વધુ તપાસ હાથ ધરી છે