વાંકાનેરના વસુંધરા ગામે ગોચરની જમીનમાંથી ૧૧.૦૨ લાખના ખનીજની ચોરી
મોરબીના અંદરણા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનને સારવારમાં મોત
SHARE
મોરબીના અંદરણા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનને સારવારમાં મોત
મોરબીના અંદરણા ગામે સીમમાં આવેલ વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વડોદરાની હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનો મોત નીપજયું હતું જેથી કરીને આ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના કાસબાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના આદરણા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કામ કરતા સરતાનભાઇ ચોકલાભાઇ નાયક (૨૧) એ વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરામાં આવેલ એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન આઈસીયુ વોર્ડમાં તેનું મોત નિપજ્યું હતું જેથી આ અંગેની રાવપુરા પોલીસ સ્ટેશન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાહેરનામાનો ભંગ
વાંકાનેરના લાલપર ગામની સીમમાં આવેલ એમેટ્રીન ઈન્ડીયા નામના કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટરે તેની નીચે કામ કરતા શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરી ન હતી, ફોટો કે આધાર પુરાવા લીધા ન હતા જેથી કોન્ટ્રાક્ટર મુન્નાજીરભાઈ યુસુફભાઈ બાદી જાતે મોમીન (૨૩) રહે. કોઠી તાલુકો વાંકાનેર વાળાની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે તો ટંકારા તાલુકાના રોહીશાળા ગામની સીમમાં આવેલ વાડીએ ખેતીમાં મજૂરી કામ કરવા માટે એમપીના અલીરાજપુર જિલ્લાના પાંચ ખેત મજૂરોને રાખ્યા હતા પરંતુ તેના આધાર પુરાવા લેવામાં આવ્યા ન હતા. અને પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યા ન હતા તેમજ ઓનલાઈન એપ્લિકેશનમાં માહિતી અપલોડ કરવામાં આવી ન હતી જેથી રજનીકાંતભાઈ બચુભાઈ ભોરણીયા જાતે પટેલ (૪૩) રહે. રોહીશાળા તાલુકો ટંકારા વાળાની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયેલ છે