વાંકાનેરમાં વૃદ્ધની કરોડો રૂપિયાની જમીન હડપ કરવા કૌભાંડ આચારીને જમીન ખરીદનાર આરોપીની ધરપકડ
મોરબી પાંજરાપોળમાં રવિવારે સાંજે ચારેય ધારાસભ્યોનું કરાશે સન્માન
SHARE
મોરબી પાંજરાપોળમાં રવિવારે સાંજે ચારેય ધારાસભ્યોનું કરાશે સન્માન
મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે ટ્રસ્ટીઓ દ્વારા રવિવારે સાંજે ૪ વાગ્યે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોનું સન્માન કરવામાં આવશે તેવું ટ્રસ્ટી વેલજીભાઇ ખોડાભાઈ ઉઘરેજા (બોસ)એ માહિતી આપતા જણાવ્યુ છે
મોરબીની પાંજરાપોળમાં ૪૫૦૦ જેટલા અબોલ જીવનું જતન કરવામાં આવી રહ્યું છે ત્યારે ત્યાંના ટ્રસ્ટી વેલજીભાઇ ખોડાભાઈ ઉઘરેજાએ જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લાના ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઈ સોમાણી અને દુર્લભજીભાઈ દેથરિયાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે ગૌવંશ દર્શન અને વન દર્શન રાખવામા આવેલ છે અને બજરંગ ધૂન મંડળનો ભજનનો કાર્યક્રમ પણ રાખવામા આવેલ છે આ સન્માન કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ ટ્રસ્ટીઓ સહિતના જહેમત ઉઠાવી રહયા છે









