ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબી પાંજરાપોળમાં રવિવારે સાંજે ચારેય ધારાસભ્યોનું કરાશે સન્માન


SHARE













મોરબી પાંજરાપોળમાં રવિવારે સાંજે ચારેય ધારાસભ્યોનું કરાશે સન્માન

મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે ટ્રસ્ટીઓ દ્વારા રવિવારે સાંજે ૪ વાગ્યે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોનું સન્માન કરવામાં આવશે તેવું ટ્રસ્ટી વેલજીભાઇ ખોડાભાઈ ઉઘરેજા (બોસ)એ માહિતી આપતા જણાવ્યુ છે

મોરબીની પાંજરાપોળમાં ૪૫૦૦ જેટલા અબોલ જીવનું જતન કરવામાં આવી રહ્યું છે ત્યારે ત્યાંના ટ્રસ્ટી વેલજીભાઇ ખોડાભાઈ ઉઘરેજાએ જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લાના ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઈ સોમાણી અને દુર્લભજીભાઈ દેથરિયાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે ગૌવંશ દર્શન અને વન દર્શન રાખવામા આવેલ છે અને બજરંગ ધૂન મંડળનો ભજનનો કાર્યક્રમ પણ રાખવામા આવેલ છે આ સન્માન કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ ટ્રસ્ટીઓ સહિતના જહેમત ઉઠાવી રહયા છે






Latest News