મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળિયા(મી.) રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર મૂકવા કે.ડી. બાવરવાની માંગ


SHARE













માળિયા(મી.) રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર મૂકવા કે.ડી. બાવરવાની માંગ

માળિયા(મી.) રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર ન હોવાથી દર્દીઓ ઘણા હેરાન થાય છે જેથી કરીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરેલ છે અને ત્યાં કાયમી ડોક્ટરની નિમણુક કરવાની માંગ કરેલ છે

હાલમાં કરવામાં આવેલ રજૂઆતમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ જણાવ્યુ છે કે, માળિયા (મી.) ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં કોઈ કાયમી ડોક્ટર નથી. તે બાબતે યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, ડોક્ટર ન હોવાના કારણે ઘણા દર્દીઓને મોરબી અથવા રાજકોટ સારવાર માટે જવું પડે છે. અને ખાસ કરીને પ્રસુતિના કેશો પણ મોરબી રવાના કરવામાં આવે છે. જેથી સગર્ભા સહિતના દર્દીઓને હળકીનો સામનો કરવો પડતો હોય છે માટે તતકાલિક આ હોસ્પિટલમાં ડોક્ટર મૂકવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો ડોક્ટર નહીં મૂકવામાં આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઅતો કરવામાં આવશે




Latest News