ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના માળીયા તાલુકામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ઓનલાઇન મિટીંગ યોજાઇ


SHARE













મહા સદસ્યતા અભિયાન અંતર્ગત મોરબીના માળીયા તાલુકામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ઓનલાઇન મિટીંગ યોજાઇ

મહાસદસ્યતા અભિયાનનાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત તેમજ મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘનાં આહવાન મુજબ માળીયા મી. તાલુકામાં સદસ્યતા અભિયાન હાથ ધરવા બાબતે એક ઓનલાઈન બેઠકનું આયોજન ગઇકાલ તા.૧૪-૯ નાં કરવામાં આવેલ હતું.

બેઠકમાં અભિયાન અંગે માર્ગદર્શન પૂરું પાડવા સૌરાષ્ટ્ર સંભાગનાં સહ સંગઠનમંત્રી હિતેશભાઈ ગોપાણી, હળવદ તાલુકા સંગઠનમંત્રી રાજુભાઈ ગોહિલ, વાંકાનેર ઉપાધ્યક્ષ પોપટભાઈ, મોરબી ઉપાધ્યક્ષ રમેશભાઈ હુંબલ જોડાયા હતા. જેમણે સદસ્યતા અભિયાન બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. માળીયા મી. શૈક્ષિક મહાસંઘનાં પ્રમુખ હરદેવભાઈ કાનગડ, મંત્રી સુનિલભાઈ કૈલા, સિનિયર ઉપાધ્યક્ષ રાજેશભાઈ રાઠોડ, સંગઠન મંત્રી કે.કે.લાવડીયા તેમજ ઉપાધ્યક્ષ રમેશભાઈ ચાવડા એમ સમગ્ર માળીયા ટીમે બેઠકમાં 'સદસ્યતા અભિયાન ' બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી વિચારોની આપ-લે કરી હતી. બેઠકમા રાજેશભાઈ બાલાસરા, દિનેશભાઇ કાનગડ વગેરે માળીયા તાલુકાનાં શિક્ષકો પણ જોડાયા હતા અને પોતાના પ્રતિભાવ આપ્યા હતા.ઓનલાઈન બેઠકનું સંચાલન સિનિયર ઉપાધ્યક્ષ રાજેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ દ્વારા બેઠકમા હાજર સર્વેનું સ્વાગત અને બેઠકનાં અંતે આભાર પ્રગટ કરવામાં આવેલ.સાથે સમગ્ર ટીમને એકજુથ થઈ કામ કરવાનું આહવાન પણ અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલ. હિતેશભાઈ ગોપાણી દ્વારા સંગઠન મંત્રનાં નાદ સાથે બેઠકની પુર્ણાહુતી કરવામાં આવી હતી






Latest News