ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર-વિરાટનગર સહિત અનેક જગ્યાઆ મસમોટા ખાડા: વાહન ચાલકો ત્રાહિમામ


SHARE













મોરબીના જેતપર રોડ ઉપર રંગપર-વિરાટનગર સહિત અનેક જગ્યાઆ મસમોટા ખાડા: વાહન ચાલકો ત્રાહિમામ

મોરબીના જેતપર રોડ ઉપર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે જેથી કરીને વાહન ચાલકોને પોતાના વાહન લઇને પોતાના જીવના જોખમે રસ્તા ઉપરથી પસાર થવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ કરીને રંગપર વિરાટનગરના બસ સ્ટેન્ડ પાસે મસમોટા ખાડા પડ્યા હોય તેમાંથી રીક્ષા, બાઈક, કાર સહિતના વાહનો લઈને રોડ ઉપરથી નીકળવું જોખમી બની ગયું છે જેથી કરીને આ રસ્તાનું રીપેરીંગ કામ કરવામાં આવે તેના માટે અગાઉ અનેક વખત રજુઆત કરવામાં આવી છે તેમ છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા ભાંગી તૂટી ગયેલા રોડને રીપેર કરવા માટે નક્કર કામગીરી કરવામાં આવી છે જેથી આ રોડ ઉપર આવતા ગ્રામ્ય વિસ્તારની અંદર ગામડામાં રહેતા લોકોને પોતાના જીવના જોખમે મોરબીના જેતપર રોડ ઉપરથી પસાર થવું પડે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી તેની સાથોસાથ આ વિસ્તારની અંદર લગભગ દોઢસો જેટલા નાના-મોટા સિરામિકના અને અન્ય કારખાનાઓ કાર્યરત કરવામાં આવેલ છે જેથી ત્યાં રોજગારી મેળવવા માટે મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો આવતા જતા હોય છે ત્યારે આ રસ્તા ઉપરના ખાડા તેઓ માટે જીવલેણ સાબિત ન થાય તે માટે વહેલામાં વહેલી તકે રોડ ઉપરના ખાડાને બુરવા માટેની કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે અત્યાર સુધીમાં અનેક વખત મોરબીના જેતપર રોડ ઉપર જીવલેણ અકસ્માતો આ ભંગાર રસ્તાના કારણે સર્જાઈ ચૂકયા છે ત્યારે આગામી દિવસોમાં કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય તે માટે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આ રોડનું રીપેરીંગ કામ વહેલી તકે થાય તેવું કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે






Latest News