ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટ પોલીસ ચોકી પાસેથી મળી આવેલ ડેડબોડીમાં મૃતકની ઓળખ મળી


SHARE













મોરબીના લાતી પ્લોટ પોલીસ ચોકી પાસેથી મળી આવેલ ડેડબોડીમાં મૃતકની ઓળખ મળી

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ અને લાતી પ્લોટ મેઇન રોડની વચ્ચેના ભાગે આવેલ લાતીપ્લોટ પોલીસ ચોકી નજીક આવેલ દુકાન પાસેથી આશરે પાંત્રીસેક વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જે અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરતા મૃતક વીંછીયાના શિવાજીપરા વિસ્તારનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું.

આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના અયોધ્યાપુરી રોડ નજીક લાતી પ્લોટ પોલીસ ચોકીની નજીક એક દુકાનની પાસે આશરે ૩૫ વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને સોશિયલ મીડિયાના માધ્યમથી મૃતકના વાલીવારસની શોધ કરવામાં આવતા હાલ મળેલ માહિતી મુજબ મૃતકનું નામ રાજેશ બાબુ વાલાણી જાતે કોળી (ઉમર ૩૫) ધંધો મજૂરીકામ રહે.શિવાજીપરા વીંછીયા તા.વિછીયા જી.રાજકોટ હોવાનું ખુલ્યું હતું અને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થતા મૃતકના પિતા બાબુભાઈ ટપુભાઈ વાલાણી જાતે કોળીએ મોરબી આવીને તેમના પુત્રના મૃતદેહનો કબ્જો સંભાળ્યો હતો.વધુમાં મૃતકના પિતા બાબુભાઇએ પોલીસને જણાવ્યા પ્રમાણે તેમનો પુત્ર રાજેશ ગત તા.૨૧-૪ ના રાત્રિના અગીયાર વાગ્યે "કચ્છમાં ચાલતી રામકથામાં જાઉં છું" તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં તા.૨૫-૪ ના રોજ તેનો મોરબી નજીક મૃતદેહ મળી આવ્યો હતો.વધુમાં મૃતકના પિતા બાબુભાઈએ પોલીસને જણાવ્યા પ્રમાણે તેમના પુત્ર રાજેશ વાલાણીને છેલ્લા ચારેક વર્ષથી ડાયાબિટીસ હતું અને ડાયાબિટીસ વધુ હોવાના લીધે તે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતો હતો અને અગાઉ પણ તેને આ બીમારી સબબ દાખલ કરવો પડ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે રહેતો દીપક પ્રાણજીવનભાઈ વીરપરિયા નામનો ૩૫ વર્ષનો યુવાન રાત્રિના પોતાનું બાઈક લઈને હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં ત્યાં તેનું બાઈક સ્લીપ મારી જતા ઇજાઓ પામતા તેને અત્રેની આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી હાલ બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.એમ.જાડેજા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

ઘર પાસે મારામારીમાં ઈજા

મોરબીના રહેવાસી મહેશભાઈ કરશનભાઈ ચાવડા (ઉમર ૪૦) અને તેમના પુત્ર નિલેશ મહેશભાઈ ચાવડા (ઉમર ૧૭) ને પોતાના ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ તથા સિવિલે સારવાર માટે લઈ જવા આવ્યા હતા જ્યાંથી બનાવવા અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલી હોય આ અંગે પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News