ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા કામે જતા યુવાનનું મોત


SHARE







મોરબીના જેતપર રોડે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા કામે જતા યુવાનનું મોત

મોરબીના જાંબુડીયા ગામનો રહેવાસી યુવાન ગઈકાલે મોડી સાંજે કામ સબબ પોતાનું બાઈક લઈને જેતપર રોડ ઉપર જતો હતો ત્યારે ત્યાં તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઘવાયેલ યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજકોટ ખાતે યુવાનનું મોત નીપજયું હતું જેથી હાલ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રોમાંથી તેમજ તપાસ અધિકારી ફિરોજભાઈ સુમરા પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામે રહેતો મયુર ઉર્ફે મનોજ ધીરુભાઈ ઉર્ફે ધનજીભાઈ પરમાર નામનો ૨૪ વર્ષનો યુવાન ગઈકાલે રાતે આઠેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાને નોકરીએ જતો હતો ત્યારે સોમનાથ પેટ્રોલ પંપ નજીક તેના બાઇકને ટ્રક નંબર જીજે ૩૬ ટી ૬૭૧૩ ના ચાલકે હડફેટે લીધું હતું જેથી તેને ગંભીર ઇજા થયેલ હતી માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવતા ત્યાં ટૂંકી સારવારમાં યુવાનનું મોત નીપજયું હતું અને હાલ રાજકોટ ખાતેથી આ બનાવની યાદી આવતા તાલુકા પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલી મોર ભગતની વાડી ખાતે રહેતો અશોક વાલજીભાઈ પરમાર નામનો ૪૪ વર્ષનો યુવાન સાંજના સમયે પોતાનું બાઈક લઈને થોરાળા ગામ બાજુ જતો હતો ત્યારે થોરાળા ગામના પાટીયા પાસે તેના બાઈકની આડે અચાનક ભૂંડ આડુ ઉતરતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઈજાઓ થવાથી તેને મોરબીની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાંથી સારવાર બાદ મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે




Latest News