ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા કામે જતા યુવાનનું મોત


SHARE













મોરબીના જેતપર રોડે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા કામે જતા યુવાનનું મોત

મોરબીના જાંબુડીયા ગામનો રહેવાસી યુવાન ગઈકાલે મોડી સાંજે કામ સબબ પોતાનું બાઈક લઈને જેતપર રોડ ઉપર જતો હતો ત્યારે ત્યાં તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઘવાયેલ યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજકોટ ખાતે યુવાનનું મોત નીપજયું હતું જેથી હાલ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રોમાંથી તેમજ તપાસ અધિકારી ફિરોજભાઈ સુમરા પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામે રહેતો મયુર ઉર્ફે મનોજ ધીરુભાઈ ઉર્ફે ધનજીભાઈ પરમાર નામનો ૨૪ વર્ષનો યુવાન ગઈકાલે રાતે આઠેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાને નોકરીએ જતો હતો ત્યારે સોમનાથ પેટ્રોલ પંપ નજીક તેના બાઇકને ટ્રક નંબર જીજે ૩૬ ટી ૬૭૧૩ ના ચાલકે હડફેટે લીધું હતું જેથી તેને ગંભીર ઇજા થયેલ હતી માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવતા ત્યાં ટૂંકી સારવારમાં યુવાનનું મોત નીપજયું હતું અને હાલ રાજકોટ ખાતેથી આ બનાવની યાદી આવતા તાલુકા પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલી મોર ભગતની વાડી ખાતે રહેતો અશોક વાલજીભાઈ પરમાર નામનો ૪૪ વર્ષનો યુવાન સાંજના સમયે પોતાનું બાઈક લઈને થોરાળા ગામ બાજુ જતો હતો ત્યારે થોરાળા ગામના પાટીયા પાસે તેના બાઈકની આડે અચાનક ભૂંડ આડુ ઉતરતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઈજાઓ થવાથી તેને મોરબીની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાંથી સારવાર બાદ મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે






Latest News