ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે બે બાઇક અથડાતાં ઇજા પામેલ મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE







વાંકાનેરના ભલગામ પાસે બે બાઇક અથડાતાં ઇજા પામેલ મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા ભલગામ નજીક હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ થોડા દિવસો પહેલા બન્યો હતો જેમાં બાઈક સાથે બાઈકની અથડામણ થતા દિયરના બાઈક પાછળ બેસીને જતા ભાભી ઇજાગ્રસ્ત થયા હતા અને તે બનાવમાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું રાજકોટ ખાતે મોત નીપજયુ હોવાનું પોલીસસૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ઉપરોક્ત બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ભલગામના રહેવાસી વર્ષાબેન રમેશભાઈ દેગડા (ઉમર ૨૭) કે જેઓનું પિયર સાયલા નજીકનું ધાંધલપર ગામ છે તેઓ પોતાના દિયર માલાભાઈના બાઈકની પાછળના ભાગે બેસીને ગત તા.૧૯-૪ ના સાંજના ૫:૩૦ વાગ્યાના અરસામાં જતા હતા ત્યારે ભલગામ નજીક હાઇવે ઉપર તેઓના બાઈકને અન્ય બાઈકના ચાલકે હડફટે લેતા વર્ષાબેન રમેશભાઈ દેગડા નામની ૨૭ વર્ષીય મહિલાને ઇજાઓ થતા પ્રથમ વાંકાનેર સિવિલ ખાતે સારવારમાં લઈ જવાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં ગઈકાલ તા.૩૦-૪ ના રોજ સારવાર દરમિયાન વર્ષાબેન દેગડાનું મોત નીપજયુ હતું અને તેમના મોતના પગલે હાલ બે સંતાનોએ માતાની મમતાનો પાલવ ગુમાવ્યો છે. બનાવની જાણ થતા હાલ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ નારાયણ કંપની નજીક મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી ગગનભાઈ જગદીશભાઈ અરોરા (ઉંમર ૩૦) રહે. કપૂરવા ગામ તાલુકો થાન જિલ્લો સુરેન્દ્રનગરને ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો બનાવને પગલે હોસ્પિટલ તરફથી સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

હળવદના ભલગામડા વિસ્તારના રહેવાસી જશુબેન પ્રભુભાઈ દેત્રોજા નામના ૫૦ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતા મોરબીની સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા




Latest News