ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે બે બાઇક અથડાતાં ઇજા પામેલ મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE













વાંકાનેરના ભલગામ પાસે બે બાઇક અથડાતાં ઇજા પામેલ મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા ભલગામ નજીક હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ થોડા દિવસો પહેલા બન્યો હતો જેમાં બાઈક સાથે બાઈકની અથડામણ થતા દિયરના બાઈક પાછળ બેસીને જતા ભાભી ઇજાગ્રસ્ત થયા હતા અને તે બનાવમાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું રાજકોટ ખાતે મોત નીપજયુ હોવાનું પોલીસસૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ઉપરોક્ત બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ભલગામના રહેવાસી વર્ષાબેન રમેશભાઈ દેગડા (ઉમર ૨૭) કે જેઓનું પિયર સાયલા નજીકનું ધાંધલપર ગામ છે તેઓ પોતાના દિયર માલાભાઈના બાઈકની પાછળના ભાગે બેસીને ગત તા.૧૯-૪ ના સાંજના ૫:૩૦ વાગ્યાના અરસામાં જતા હતા ત્યારે ભલગામ નજીક હાઇવે ઉપર તેઓના બાઈકને અન્ય બાઈકના ચાલકે હડફટે લેતા વર્ષાબેન રમેશભાઈ દેગડા નામની ૨૭ વર્ષીય મહિલાને ઇજાઓ થતા પ્રથમ વાંકાનેર સિવિલ ખાતે સારવારમાં લઈ જવાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં ગઈકાલ તા.૩૦-૪ ના રોજ સારવાર દરમિયાન વર્ષાબેન દેગડાનું મોત નીપજયુ હતું અને તેમના મોતના પગલે હાલ બે સંતાનોએ માતાની મમતાનો પાલવ ગુમાવ્યો છે. બનાવની જાણ થતા હાલ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ નારાયણ કંપની નજીક મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી ગગનભાઈ જગદીશભાઈ અરોરા (ઉંમર ૩૦) રહે. કપૂરવા ગામ તાલુકો થાન જિલ્લો સુરેન્દ્રનગરને ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો બનાવને પગલે હોસ્પિટલ તરફથી સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

હળવદના ભલગામડા વિસ્તારના રહેવાસી જશુબેન પ્રભુભાઈ દેત્રોજા નામના ૫૦ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતા મોરબીની સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા






Latest News