તેરા તુજકો અર્પણ: મોરબીમાં 5.10 લાખના 31 મોબાઈલ પોલીસે મૂળ માલિકને પરત આપ્યા મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર અને નિર્મલ સ્કૂલ અને મોટીબરારની મોડેલ સ્કૂલ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઇ  ગુજરાતનાં 162 ધારાસભ્યો-25 સાંસદોમાંથી જે હોશિયાર હોય તેને વીજપોલના વળતર બાબતે લાઈવ ડિબેટમાં આવવા જેતપર સત્યાગ્રહ છાવણીના આગેવાનની ખુલ્લુ ચેલેન્જ મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રસંગમાં ગયેલા પરિવારના બંગલામાંથી સોનાના દાગીના-રોકડા મળીને ૭૫ લાખથી વધુના મુદામાલની ચોરી


SHARE







મોરબીમાં પ્રસંગમાં ગયેલા પરિવારના બંગલામાંથી સોનાના દાગીના-રોકડા મળીને ૭૫ લાખથી વધુના મુદામાલની ચોરી

મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં રહેતો પરિવાર રાજકોટમાં પ્રસંગ હોવાથી ત્યાં ગયો હતો અને તેઓનું ઘર બંધ હતું દરમિયાન તેના ઘરમાંથી ૧૧૦૦ ગ્રામ સોનાના દાગીના તથા રોકડા ૧૫ લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા પરિવાર દ્વારા આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસ સ્ટેશનના પીઆઇ, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના પહોંચ્યો હતો અને ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા માટે હાલમાં સીસીટીવી ફૂટેજ મેળવવા માટેની કામગીરી ચાલી રહી છે અને આરોપી સુધી પહોંચવા માટેના પ્રયત્નો પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ કાયાજી પ્લોટમાં નગરપાલિકાના કોમ્યુનિટી હોલની બાજુમાં રહેતા હિમાંશુભાઈ ચંડીભમ્મરના મકાનને તસ્કર દ્વારા નિશાન બનાવવા આવ્યું છે અને તેના ઘરમાંથી રોકડા રૂપિયા ૧૫ લાખ તથા ૧૧૦૦ ગ્રામ સોનાના દાગીના ચોરી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા પરિવાર દ્વારા આ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે હિમાંશુભાઈ ચંડીભમ્મરનો પરિવાર રાજકોટમાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં જવા માટે નીકળ્યો હતો અને ત્યારે તેઓ સોનાના દાગીના ઘરે ભૂલી ગયા હતા દરમ્યાન તસ્કર દ્વારા તેના ઘરને નિશાન બનાવવામાં આવતા તેના ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી થયેલ છે અને ચોરીની ઘટના બની ત્યારથી તેઓને ત્યાં કામ કરતો બહાદુર અને તેની પત્ની હાજર ન હોવાથી હાલમાં તે પણ શંકાના દાયરામાં છે અને પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે અને આરોપીને પકડવા માટે એલસીબી, સ્થાનિક પોલીસ વિગેરેની જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે




Latest News