વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણુંક કરાશે
મોરબીમાં શનિવારે સરદારધામ દ્વારા આયોજીત જીપીબીએસ-૨૪ એકસપો અંતર્ગત કેન્દ્રીયમંત્રી પરશોતમ રૂપાલાની હાજરીમાં મીટીંગનું આયોજન
SHARE
મોરબીમાં શનિવારે સરદારધામ દ્વારા આયોજીત જીપીબીએસ-૨૪ એકસપો અંતર્ગત કેન્દ્રીયમંત્રી પરશોતમ રૂપાલાની હાજરીમાં મીટીંગનું આયોજન
સરદારધામ દ્વારા આયોજીત જીપીબીએસ-૨૪ એકસપો આગામી તા. ૭-૮-૯-૧૦ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ચાર દિવસ માટે સૌરાષ્ટ્રનું હબ એટલે કે રાજકોટ ખાતે યોજાનાર છે જેમા ૧૦૦૦ થી વધુ વિદેશી ગ્રાહકો અને ખાસ કરીને ઘડીયાલ, પોલીપેક, પેપર, લેમીનેટસ, સિરામીક અને બિલ્ડીંગ મટીરીયલ્સની સાથે અન્ય પ્રોડકટને ફોકસ પ્રોડકટ તરીકે વિદેશમા પ્રમોસન કરીને વિદેશી ગ્રાહકો આ એક્સપોમા મુલાકાતે આવશે ત્યારે આપણા ઘર આંગણે આવુ ભવ્ય એકસપોનુ આયોજન થઇ રહ્યુ છે ત્યારે આગામી તા.૬-૫ ને શનિવારે સાંજે ૫ કલાકે મોરબીના શનાળા રોડ સ્કાયમોલના ૩ જા માળ
ખાતે તેનો પ્રમોશન કાર્યક્રમ પરશોત્તમ રૂપાલા (મંત્રી, મત્સ્યપાલન પશુપાલન અને ડેરી મંત્રાલય, ભારત સરકાર) ના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે.ત્યારે મોરબીના તમામ ઉધોગકારોને તમામ ભાગીદાર સહિત આ પ્રમોશન કાર્યક્રમમા ઉપસ્થિત રહેવા સરદારધામે ભાવભર્યુ આમંત્રણ પાઠવેલ છે.મોરબીના સિરામિક ઉત્પાદનને એક્સપોર્ટમા ગતિ મળે તે માટે સ્પેશ્યલ પ્રમોશન કરવામા આવશે ત્યારે સર્વે ઉદ્યોગકારો આ કાર્યક્રમમા હાજરી આપે તેવી અપીલ ટીમ જીપીબીએસ-૨૪ અને સમસ્ત ટ્રસ્ટીગણ સરદારધામે કરેલ છે.