મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નેટના ધાંધીયાથી વકીલો-અરજદારો હેરાન
SHARE
મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નેટના ધાંધીયાથી વકીલો-અરજદારો હેરાન
મોરબીમાં આવેલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં છેલ્લા ઘણા દિવસોથી નેટના ધાંધીયાથી છે અને ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક એટલે કે ગુજરાત સરકારના ઓનલાઇન કામગીરી માટેના આંતરિક નેટવર્કિંગ વ્યવસ્થામાં ધાંધીયા છે જેથી કરીને મોરબીમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી માટે આવતા વકીલો અને અરજદારોને હેરાન થવું પડે છે ત્યારે મોરબી રેવન્યુ બાર એસોશિએશન પ્રમુખ આ અંગે લેખિત રજૂઆત કરીને નેટના ધાંધીયા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
મોરબી રેવન્યુ બાર એસોશિએશન પ્રમુખ પિયુષભાઈ રવેશીયા સહિતના વકીલો દ્વારા જિલ્લા જીસ્વાન કચેરીના અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, છેલ્લા ચાર દિવસથી મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં જીસ્વાન નેટવર્કના ધાંધીયા છે જેના કારણે દસ્તાવેજની નોંધણી માટે આવતા અરજદારો તેમજ વકીલોને હેરાન થવું પડે છે અને દસ્તાવેજની કામગીરી થતી ન હોવાથી કચેરીની કામગીરીને પણ માઠી અસર પડી રહી છે જેથી વહેલામાં વહેલી તકે મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નેટના ધાંધીયા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે