રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નેટના ધાંધીયાથી વકીલો-અરજદારો હેરાન


SHARE









મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નેટના ધાંધીયાથી વકીલો-અરજદારો હેરાન

મોરબીમાં આવેલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં છેલ્લા ઘણા દિવસોથી નેટના ધાંધીયાથી છે અને ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક એટલે કે ગુજરાત સરકારના ઓનલાઇન કામગીરી માટેના આંતરિક નેટવર્કિંગ વ્યવસ્થામાં ધાંધીયા છે જેથી કરીને મોરબીમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી માટે આવતા વકીલો અને અરજદારોને હેરાન થવું પડે છે ત્યારે મોરબી રેવન્યુ બાર એસોશિએશન પ્રમુખ આ અંગે લેખિત રજૂઆત કરીને નેટના ધાંધીયા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી રેવન્યુ બાર એસોશિએશન પ્રમુખ પિયુષભાઈ રવેશીયા સહિતના વકીલો દ્વારા જિલ્લા જીસ્વાન કચેરીના અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, છેલ્લા ચાર દિવસથી મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં જીસ્વાન નેટવર્કના ધાંધીયા છે જેના કારણે દસ્તાવેજની નોંધણી માટે આવતા અરજદારો તેમજ વકીલોને હેરાન થવું પડે છે અને દસ્તાવેજની કામગીરી થતી ન હોવાથી કચેરીની કામગીરીને પણ માઠી અસર પડી રહી છે જેથી વહેલામાં વહેલી તકે મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નેટના ધાંધીયા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News