મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા ૧૦ પૈકીનાં ૩ આરોપીઓના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર
SHARE
મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા ૧૦ પૈકીનાં ૩ આરોપીઓના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર
મોરબીના ઝૂલતા પુલ કેસમાં જયસુખભાઇ સહિતના ૧૦ આરોપીને પકડવામાં આવેલ છે જે પૈકીનાં ત્રણ આરોપીના રેગ્યુલર જામીન માટે હાઇકોર્ટમા અરજી કરવામાં આવી હતી જેના આજે મંજૂર કરવામાં આવી છે
મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે કુલ મળીને ૧૦ આરોપીને પકડ્યા હતા અને તે આરોપીઓ હાલમાં મોરબીની જેલમાં છે અને તે પૈકીનાં ત્રણ આરોપીના રેગ્યુલર જામીન માટે હાઇકોર્ટમા જામીન અરજી વકીલ મારફતે મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને લઈને જજે ત્રણ આરોપીના જામીન માટેની અરજીને મંજૂર કરવામાં આવી છે જેથી કરીને ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા આરોપી પૈકીનાં અલ્પેશ ગલાભાઇ ગોહીલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ અને મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણના જામીન મંજૂર કરવામાં આવ્યા છે જો કે, હજુ પણ ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા જયસુખભાઇ સહિતના ૧૦ આરોપી પૈકીનાં સાત આરોપીઓ મોરબીની સબ જેલમાં છે હાલમાં જે આરોપીના જામીન મંજુર કરવામાં આવેલ છે તે ત્રણેય આરોપી ઘટના સમયે સિક્યુરીટી ગાર્ડ તરીકે ઝુલતા પુલ ઉપર હાજર હતા