મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી
Breaking news
Morbi Today

હળવદમાં રેલવે ટ્રેન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત


SHARE









હળવદમાં રેલવે ટ્રેન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત

હળવદમાં બસ સ્ટેશન પાછળના ભાગમાં રહેતો યુવાન ઘરમાં કજિયો થતાં ઘરેથી નીકળી ગયો હતો અને તેને રેલ્વે લાઈન ઉપર જઈને રેલવે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની તેના પરિવારજન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ શહેરમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા જગદીશભાઈ શીવાભાઈ મકવાણા (૨૨) નામના યુવાને હળવદમાંથી પસાર થતી રેલવે લાઈન ઉપર જઈને રેલ્વે ટ્રેન નીચે પડતું મૂકી દીધું હતું જેથી કરીને તેના શરીરના બે કટકા થઈ જતાં તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને યુવાનના આપઘાતના આ બનાવની કાનાભાઈ રતાભાઇ મકવાણા (૪૫) રહે હળવદ બસ સ્ટેશન પાછળ વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાતેતા મુજબની હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનને મગજની તકલીફ હોય ઘણીવાર તે ગાંડા કાઢતો હતો અને ઘરે કજીયો થયા બાદ તે ઘરેથી નીકળી ગયા પછી તેણે રેલ્વે ટ્રેન નીચે પડીને આપઘાત કર્યો છે તેવું તેના પરિવારજનો જણાવી રહ્યા છે






Latest News