મોરબીમાં પાલિકાની બેદરકારી જીવલેણ બને તે પહેલા લોકોએ કરી વ્યવસ્થા !
SHARE
મોરબીમાં પાલિકાની બેદરકારી જીવલેણ બને તે પહેલા લોકોએ કરી વ્યવસ્થા !
મોરબીના જુદાજુદા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા ન હોવાથી નાના મોટા અકસ્માતો થતાં જ હોય છે જો કે, પાલિકાની બેદરકારી કોઈના માટે જીવલેણ બને તેવી હોવાથી લોકોએ સ્વયં વ્યવસ્થા કરવી પડે છે વાત જાણીને નવાઈ લાગે પરંતુ મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા છે અને ત્યાં ગાત્રનું ઢાંકણું નથી જેથી કરીને વાહન ચાલકોના વાહનના વ્હીલ તેમાં ઘૂસી જાય છે અને કયારે જીવલેણ અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતી છે તો પણ ત્યાં ઢાંકણું મૂકવામાં આવ્યું નથી ત્યારે સ્થાનિક વેપારીઓ દ્વારા ભૂગર્ભ ગટર ખૂલી છે તેની લોકોને જાણ થાય તે માટે ત્યાં શોચલાયના તૂટેલા પોખરા મૂકીને હાલમાં ત્યાં આડશ ઊભી કરવામાં આવી છે જો કે, ઢાંકણા નાખવાની તસ્દી પાલિકા દ્વારા કયારે લેવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે અને કોઈ જીવલેણ અકસ્માત બને તે પહેલા પાલિકા તંત્ર ભૂગર્ભ ગટરનું ઢાંકણું મૂકશે કે તે પણ સવાલ છે