મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાને પતિએ માર માર્યો: ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ


SHARE















મોરબીમાં પરિણીતાને પતિએ માર માર્યો: ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ


મોરબી નજીકના પાનેલી ગામે રહેતી પરણીતાને તેના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ પરણીતા દ્વારા તેના પતિ સહિત કુલ ત્રણ વ્યક્તિઓની સામે મોરબી જિલ્લા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ પાનેલી ગામે રહેતા હીરાભાઈ માવજીભાઈ કંઝારીયાની દીકરી વૈશાલીબેનના લગ્ન પાનેલી ગામે રહેતા રાજેશભાઈ નારણભાઈ ડાભી સાથે થયા હતા અને વૈશાલીબેનને ઘરકામ બાબતે મેણાં ટોણાં મારીને અંબાબેન મોહનભાઈ ડાભી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને તેના પતિ રાજેશભાઈ નારણભાઈ ડાભીએ ચારથી પાંચ લાફા મારીને ગાળો આપી હતી તેમજ ગુલાબબેન નારણભાઈ ડાભીએ તેને પીઠના ભાગે ઢીકા વડે માર મારીને ઇજા કરી હતી જેથી ભોગ બનેલ પરણીતા દ્વારા હાલમાં તેના પતિ સહિત ત્રણ વ્યક્તિઓની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એચ. લખધિરકા ચલાવી રહ્યા છે.

ઝેરી અસર
મોરબી નજીકના ગાંધીનગર ગામ પાસે આવેલ રામેશ્વરનગરમાં રહેતા પ્રતિકભાઇ મનસુખભાઈ મનીપરા (૧૮) નામનો યુવાન પોતાના ઘરે રાત્રિના સૂતો હતો ત્યારે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં તેને જમણા પગમાં કોઈ જીવજંતુ કરડી જતાં તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તે યુવાને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામના ગેટ પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને માળીયા મિયાણા તાલુકાના દેરળા ગામે રહેતા નારણભાઈ અમરશીભાઈ આદ્રોજા (૪૫) પસાર થઈ રહ્યા હતા ત્યારે ગામના ગેટ પાસે બાઈક આડે કૂતરું ઉતર્યું હતું જેથી કરીને બાઇક સ્લીપ થઈ જતા પાછળના ભાગે બેઠેલ નારણભાઈને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળ કાર્યવાહી હાથ તરીકે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે.






Latest News