મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે ખેડૂતો લડી લેવા મક્કમ: મોરબીના જેતપર ઉપવાસી છાવણીને વરસાદની આગાહીને રાખીને વોટરપ્રૂફ બનાવવાનું શરૂ હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં વાંકાનેરના રંગપર પાસે સામેથી આવેલ ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળીમાં ગંભરી ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં આધેડને માર મારવાના ગુનામાં પાલિકાના માજી ચેરમેન અને તેના દીકરાની ધરપકડ


SHARE









મોરબીમાં આધેડને માર મારવાના ગુનામાં પાલિકાના માજી ચેરમેન અને તેના દીકરાની ધરપકડ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી આગળના ભાગે જેલ ચોકની સામે આવેલ વિસ્તારમાં મકાન ઉપર પાણી છાંટતા સમયે પાણી ઉડે છે તેમ કહીને બોલાચાલી કરી હતી અને આધેડને ગાળો આપી હતી અને ત્યારબાદ લોખંડના પાઇપ વડે આધેડને માર મારીને ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મોરબી પાલીકાના માજી મહિલા ચેરમેન તેમજ તેના દિકરાની ધરપકડ કરેલ છે.

.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેલચોકની સામેના વિસ્તારમાં રહેતા મનોજભાઈ નાનજીભાઈ ગોહેલ (ઉમર ૫૦) એ મોરબી એ ડિવિઝન ખાતે ભાનુબેન ચંદુભાઈ નગેવાડીયા અને મૌલિક ચંદુભાઈ નગેવાડીયાની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, ફરિયાદીના મકાનનું બાંધકામ ચાલુ હોય પોતે પોતાના મકાનમાં પાણી છાંટતા હતા ત્યારે પાડોસમાં રહતા આરોપીઓએ પાણી ઉડે છે તેમ કહીને પહેલા ભાનુબેન નગેવાડીયાએ બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ તેમના દિકરા મૌલિક નગેવાડીયાએ લોખંડના પાઇપ વડે મનોજભાઇને માથા અને શરીરે માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા આધેડને સારવાર માટે ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ મનોજભાઇએ ભાનુબેન નગેવાડીયા અને તેના દીકરા મૌલિક નગેવાડીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ ગુનામાં મોરબી પાલિકાના માજી મહિલા ચેરમેન ભાનુબેન ચંદુભાઈ નગેવાડીયા (૪૮) અને મૌલિક ચંદુભાઈ નગેવાડીયા (૨૪) રહે. બંને જેલચોક સામે મોરબી વાળાઓની એએસઆઈ જયપાલસિંહ ઝાલાએ ધરપકડ કરી હોવાનું પોલીસ મથકેથી જાણવા મળેલ છે.
મારા મારીમાં ઇજા
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતિયાપરા વિસ્તારમાં રહેતા રાજેશ પોપટભાઈ વડેચા જાતે ઠાકોર (૩૨) નામના યુવાને ત્યાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલે તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની મોરબી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે.
મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા કમળાબેન ભરતભાઈ પરમાર (૩૫)ને તેઓના ઘર પાસે રાત્રિના સમયે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડિયા ચલાવી રહ્યા છે.






Latest News