માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમા શનિવારે વરિયા પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે


SHARE













મોરબીમા શનિવારે વરિયા પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની સાથે સયુંકત પરિવારની પ્રથાને બચાવવાની થીમ ઉપર આ આખો કાર્યક્રમ યોજાશે અને આ છાત્ર સન્માન સમારોહમાં ત્રણ પેઢી એકસાથે રહી સયુંકત પરિવારની પરંપરા અખંડિત રાખનાર વડીલોનું પણ અદકેરું સન્માન કરાશે.

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ વરિયા નગર ખાતે આવેલ વરિયા મંદિરે આવતીકાલે તા. ૨૪ જુનને શનિવારે સાંજે ૭:૩૦ કલાકે વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ અને વડીલ વંદના સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન પૂરતો જ સીમિત નહિ રહે. આ કાર્યક્રમમાં સયુંકત કુટુંબની પ્રથા બચાવવાનો મૂલ્યવાન સંદેશ આપવામાં આવશે. અને આજની તારીખે પણ જે ત્રણ ત્રણ પેઢી એક સાથે રહે છે તે વડીલોનું કુનેહ અને સૂઝબૂઝનું પરિણામ છે. આથી આવી સમાજના વડીલોનું સન્માન કરાશે. તેમજ ધો.૧ થી લઈને કોલેજ સુધીના ૮૦ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. તેમજ વિશિષ્ટ સન્માન પણ કરાશે






Latest News