મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત મોરબી નજીક કારખાનાના ટીસીમાં તોડફોડ કરીને 375 કિલો કોપર વાયરની ચોરી કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 3.11 લાખનો મુદામાલ કબ્જે 
Breaking news
Morbi Today

ભારત યાત્રા સંદર્ભે મોરબીમાં મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ પુરીજીની હાજરીમાં મિટિંગ યોજાઇ


SHARE













ભારત યાત્રા સંદર્ભે મોરબીમાં મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ પુરીજીની હાજરીમાં મિટિંગ યોજાઇ

અખંડ સનાતન રક્ષાદલના રાષ્ટ્રીય અધ્યક્ષ ૧૦૦૮ શ્રી અનંત વિભૂષિત મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ પુરીજી મહારાજ ગઇકાલે મોરબીમાં આવ્યા હતા ત્યારે તેઓની અધ્યક્ષતામાં મોરબીના રામચોક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતભરમાંથી આવેલા સંતો અને મહંતો હાજર રહ્યા હતા ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રીસીપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝારીયા તેમજ મોરબીના વિવિધ સંસ્થાઓના પ્રમુખ, ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને સંતોનું સન્માન કરીને આશીર્વાદ લીધા હતા આ મિટિંગમાં ખાસ કરીને આગામી દિવસોમાં દ્વારકાથી ભારત યાત્રા નીકળવાની છે તેની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા દ્વારા મોરબી જીલ્લામાં આ યાત્રા આવે ત્યારથી લઈને બીજા જીલ્લામાં આગળ વધે ત્યાં સુધીની તમામ સેવા કરવાની જવાબદારી સ્વીકારી છે તેમજ ગુજરાતનાં જે કોઈ પણ જીલ્લામાં આ યાત્રા જશે ત્યાં સાધુ સંતોને રહેવા અને જમવા માટેની વ્યવસ્થા કરાવી આપવાની પણ તેઓએ તૈયારી દર્શાવી છે






Latest News