મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં શિક્ષકોના પડતર પ્રશ્નો ન ઉકેલતા કાલે ડીઇઓ કચેરીએ મૌન ધરણા


SHARE







મોરબીમાં શિક્ષકોના પડતર પ્રશ્નો ન ઉકેલતા કાલે ડીઇઓ કચેરીએ મૌન ધરણા

શિક્ષકોના પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે અને કાલે તા ૧૨ ના રોજ ડીઇઓ કચેરી ખાતે શિક્ષકો દ્વારા મૌન ધરણા કરવામાં આવશે

હાલમાં મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘની યાદીમાં જણાવ્યુ છેકે, રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પડતર પ્રશ્નો માટે અગાઉ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ અને નાણા વિભાગના અધિકારીઓની હાજરીમાં મિટિંગ મળી હતી અને વિધાનસભાની ચૂંટણી પહેલા મળેલ મિટિંગમાં તમામ માંગણીઓ સરકારે સ્વીકારી હતી. જો કે, તેને લઈને મંત્રી દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી અને તેમાં નિર્ણયની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જો કે, ચૂંટણી બાદ શિક્ષણ મંત્રીએ પડતર પ્રશ્નો ઉકેવા માટે કોઈ પરિપત્ર કરેલ નથી જેથી કરીને આ પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી જેથી કરીને કાલે તા ૧૨ ના રોજ બપોરે ૧૨ થી ૩ સુધી મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે મૌન ધરણા કરવામાં આવશે






Latest News