મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં ગણેશજીની મુર્તિ માથે પડતાં બે મહિનાની બાળકીનું મોત


SHARE













મોરબીમાં ગણેશજીની મુર્તિ માથે પડતાં બે મહિનાની બાળકીનું મોત

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટ પાસે રહેતા અને ગણપતિની મૂર્તિ બનાવવાનું કામ કરતા પરિવારની બે મહિનાની બાળકી ઘોડિયામાં સૂકી હતી ત્યારે ઘોડિયામાં હિંચકો નાખતા ભાઈએ જોરથી હિચકો નાખતા મૂર્તિ સાથે અથડાવાના કારણે મૂર્તિ બાળકીના માથા ઉપર પડતા તેના માથામાં ગંભીર ઇજા થયેલ હતી અને તે બાળકીને મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજયું છે જેથી આ બનાવની રાજકોટ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ  ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટ પાસે રહેતા મૂળ રાજસ્થાનના રરહેવાસી ભાવાભાઈ સોલંકીની બે મહિનાની દીકરી રવિનાબેન ત્યાં ઘોડિયામાં સૂતી હતી અને ત્યારે તેનો મોટો ભાઈ તેને હીંચકા નાખતો હતો દરમિયાન ગણપતિની મૂર્તિ સાથે અથડાતા મૂર્તિ તે બાળકી ઉપર પડી હતી અને બાળકીને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન રવિના સોલંકીનું મોત નીપજ્યું હોવાનું હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ભાવાભાઈ સોલંકી રાજસ્થાનથી ગણેશની મૂર્તિ બનાવવા માટે પોતાના પરિવાર સાથે મોરબી આવ્યા હતા અને તેના બે દીકરા તથા ત્રણ દીકરી અને પત્ની હાલ મોરબી હતા જોકે વધુ કામ હોવાના કારણે તેઓ ભાવનગર ગયા હતા અને અહીંયા તેમની પત્ની અને પાંચેય બાળકો રોકાયેલા હતા દરમિયાન બે માસની બાળકી ઉપર ગણપતિની મૂર્તિ પડતાં તેને માથામાં ઇજા થવાથી તેનું મોત નીપજયું છે

માર માર્યો

મોરબીની વાવડી ચોકડી પાસેથી પસાર થતા રાજકોટના કોઠારીયા ખાતે રહેતા દિલીપભાઈ શામજીભાઈ સાગઠીયા (૨૬)ને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઢીકાપાટુ અને લાકડી વડે માર મારવામાં આવતા ઈજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી લઈને આવ્યા હતા અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે






Latest News