મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ


SHARE













મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ

મોરબી વરિયા પ્રજાપતિ સમાજની શેક્ષણિક સંસ્થા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા વરિયા બોર્ડિંગ ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં વરિયા પ્રજાપતિ સમાજના થાન, વાંકાનેર, રાજકોટ, મોરબી અને મકનસર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ૬૫ થી વધુ સ્પર્ધાકોએ ભાગ લીધો હતો. અને કુલ ત્રણ કેટેગરીની વય મર્યાદા મુજબ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મોરબી આર્ટ્સ કોલેજના પ્રોફેસર રામભાઈ વારોતરીયા, એલ.ઈ. કોલેજ મોરબીના પ્રોફેસર જાગૃતિબેન ભેડા તેમજ મોરબીના જાણીતા કવિ અને લેખક રૂપેશભાઈ પરમાર (કવિ જલરૂપ) નિર્ણાયક તરીકે હાજર રહ્યા હતા આ સ્પર્ધામાં દરેક સ્પર્ધાકોને સન્માનપત્ર તેમજ ત્રણય વિભાગના પ્રથમ ત્રણ વિજેતાઓને સમાજના આગેવાનોના હસ્તે રોકડ પુરસ્કાર, શિલ્ડ અને વિશેષ મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા.






Latest News